________________ 255 નાબૂદ કરી શકાય. સંજ્ઞાન નાશનો આથી બીજે ઉચિત કાળ કે મળવાનું હતું ? કેમકે રાતદિવસ ખા ખા ની વાતે, વિષયને સંસર્ગ, પરિગ્રહની પ્રવૃત્તિ, વારેવારે નિદ્રા અને ભય, વાતવાતમાં ગર્વ-ગુસ્સ વગેરે, એ બધું તે મનુષ્ય સિવાયની બીજી ગતિમાં સારી રીતે કરવાનું હોય છે; અને તેનાથી કુસંજ્ઞાઓ પુષ્ટ રહે છે. આ ભવને જ કાળ એ યેાગ્ય છે, કે એ સંજ્ઞાઓથી પ્રતિપક્ષી વૃત્તિ-પ્રવૃત્તિઓ અને પ્રતિપક્ષી ભાવનાઓના અમૃત-કુપા પી શકાય. આહાર-સંજ્ઞા સામે તપ, અને આહાર પર જુગુપ્સા કે “અરૂપી અને અનંત સુખી એવા મારે આ શી લપ? આ શી પુગલની ગુલામી?” વિષય સંજ્ઞાની સામે વિરક્તભાવ અને તેનું પરિગ્રહસંજ્ઞા સામે દાન અને નિસ્પૃહતા, નિદ્રા સામે આત્મજાગૃતિ, ભયની સામે નિર્ભયતા, ક્રોધ સામે ક્ષમા, માન ટાળી લઘુતા-નમ્રતા, માયા મૂકી ન્યાય-નીતિ નિખાલસતા, લભ છેડી નિરાશંસ-નિર્મમત્વ ભાવ, હિંસાદિ પાપ છોડી અહિંસા સત્ય આદિ. આ બધાને કેળવવાને સારો વખત છે, કેમકે અહીં તપ, શીલ, દાન વગેરે સુંદર પ્રવૃત્તિઓ થઈ શકે છે. સંસારને વિપર્યાય દૂર કરવા માટે સંજ્ઞાને કાટ ઉતારી દેવું જોઈએ. એ માટે ઉદારતા, વિરાગ, ત્યાગ, શુભ ભાવે વગેરેથી આત્માએ સારી રીતે સ્વસ્થ બનવું જોઈએ, અને વચ્ચે જે કાંઈ આવે તેના પર વિજયી બનવું જોઈએ. આ બધું આ કાળે સુશકય છે. “અહો ! કેવો સુંદર કાળ મને આ મળ્યો છે! કેટલે દુર્લભ ને કિંમતી કાળ હું પામ્યો છું ! છતાં સંજ્ઞાએનું જોર તે જુઓ ! જીવનભર “ખાઉં-ખાઉં, આ ખાઉં તે ખાઉં” એ ધૂન, “આ વિલાસ કરું, આ જોઈ લઉં, આ ભેગવી