________________
૨૪૫
मायभूअं, एअं हिअं, असारमण्णं सव्वं, विसेसओ अविहिगहनं । एवमाह, तिलोगबंधू परमकारुणिगे सम्मं संबुध्धे भगवं अरिहंते' ति ।
અ:-તથા તે તે આચારામાં સ્મૃતિ-ઉપયાગ જાગ્રત્ રાખે કે “હું અમુક છું, અમુક કુળના છું, અમુકના શિષ્ય છું, અમુક ધર્મસ્થાનમાં રહેલે છુ. મારે એમાં વિરાધના નથી થઈ; મારે વિરાધનાનો પ્રારંભ (પણ) નથી. મારે એ (ધર્મસ્થાન)ની વૃદ્ધિ થઈ રહી છે. અહીં એ જ સારભૂત છે. એ જ પેાતાની ચીજ છે. એ જ હિતરૂપ છે. ખાકી બીજું બધું અસાર છે; અવિધિએ લીધેલ (સ'પત્તિ આદિ) વિશેષે અસાર છે,' એમ ત્રિલેકખ', પરમકારુણિક, સમ્યક્ સાધ પામેલા અરિહંત ભગવાન કહે છે.
વિવેચનઃ-કુટુંબને સંતાપ નહિ પરંતુ ગુણુ કરનારે, અનુકંપાવાળા અને અંતરથી પોતે નિળ રહી, ગ્રહસ્થને ચૈાગ્ય જે આચારેા સેવે છે, એ આચારામાં પણ લક્ષ વિના મૂઢપણે યા ગતાનુગતિકપણે વનારા ન હોય, કિંતુ ઉપયેગવાળા અની વિચારતા રહે કે ‘હું કોણ છું? મારું કુલ કયું ? હું કાનો શિષ્ય ? મારા વ્રત કયાં ? હું દેવદત્તાદિ નામે ગ્રહસ્થ છું. અમુક કુળમાં ઉત્પન્ન થયા છું. હું અમુક આચાય નો શિષ્ય
છું. એટલે મારા ગુરુ અમુક છે. હું અમુક સમકિત, દેશવિરતિ વગેરે ધર્મસ્થાનમાં રહેલા છું. મેં જે અણુવ્રતા લીધા છે એની વિરાધના તે મે' નથી કરી ને ? અથવા હેવે વિરાધનાનો આરંભ તે નથી કરતા ને ? એટલુંજ નહિ પણ મારું ધર્મસ્થાન વૃદ્ધિગત થઈ રહ્યું છે ને ? ૧. પેાતાનો એક સારે। આ માનવભવ પામેલા તરીકેનો ખ્યાલ, ૨. પેાતાના ઉત્તમ કુળની ખાનદાનીનો
"