________________
૨૨૪
લાવે. એ તે સમજે છે કે “પર વસ્તુના કુરંગમાં આપણું મનને રંગ શા માટે બગાડ? લલાટના લેખમાં મીનમેખ ફેરફાર થાય નહિ એ હકીક્ત છે. તે દિવસ પછી નિશ્ચિત રાત પડતાં દીનતા નહિ એમ અહીં શા સારૂ દીનતા? વિધિ વાંકે એનું ચલાવે, હું મારું પ્રસન્ન-પ્રશાંત-ઉદાસીન ચિત્તધારાનું કામ ચલાવું.” એમ ઈષ્ટ આવી મળતાં કે અનિષ્ટ ટળતાં હરખઘેલ ન થાય. કેમકે એ ઈન્દ્રિયેને અને મનને ગમતું તે આત્માને રાગાંધ કરી સંસાર-જેલમાં વધુ જકડી રાખનાર છે, દુર્ગતિમાં દુખ દેનાર છે. જેલમાં જકડી દુ:ખ દેનાર જડ મેળવીને રાજી શું થયું ? ત્યારે અનિષ્ટ ટળ્યું તે એથી કંઈ ભવના ફેરા ન મટ્યા પછી ખુશી શાની ? વજુબાહુને બહુ સુંદર રાજકન્યા મળી પણ હરખ–હરખ નહેતે, તે એને પરણીને લઈ જતાં રસ્તામાં પર્વત પર મુનિને દેખી વંદન કરવા જવા ઈચ્છે છે. સાળે શ્યામસુંદર મશ્કરી કરે છે કે “જે વૈરાગ્ય છે તે સંસાર ત્યાગવામાં વિલંબ શા માટે ? તમને કોઈને અંતરાય નથી.” વજુબાહુ ત્યાં તરત ચારિત્ર લઈ લે છે! બળદેવપૌત્ર સાગરચંદ્રને પિષધમાં શત્રુ બધી આંગળીમાં તાંબાની ચૂં કે બેસે છે. છતાં સાગરચંદ્ર મનમાં દિન ન બનતાં સત્ત્વ રાખી શુભ ભાવનામાં રહે છે, ને કાળ કરીને સ્વર્ગે જાય છે. તાત્પર્ય, શ્રાવક ઇષ્ટઅનિષ્ટમાં હર્ષ-ખેદ નહિ, પણ સમભાવ રાખે.
(૫) એમ, બેટે આગ્રહ, અભિનિવેશ, પકડ ન સેવે. જેમાં કાંઈ સરવાળે તત્ત્વ નહિ, માલ નહિ, જે સ્વરૂપે કે પરિણામે મિથ્યા છે, ફજુલ છે, એના દુરાગ્રહ શા સેવવા કે “આ મારું જ છે. એમાં ફેરફાર નહિ જ થાય... હું બરાબર જ વર્તે