________________
ર૨૭
બનાવું.” આ નિર્ધાર પાછળ મનનું ઉચિત પ્રવર્તન જોઈએ. એ જીવમાત્ર પ્રત્યે સનેહ, દુઃખી અને દોષિત પ્રત્યે દયાભાવ, ગુણાનુરાગ, અનિત્યાદિ ૧૨ ભાવના, મહાપુરુષોના સચ્ચરિત્ર, પાપને ભય પરલોકને વિચાર, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે આંતર પ્રીતિ યુક્ત શ્રદ્ધા, ધર્મના મને રથ, સ્વદુકૃતનિંદા વગેરેમાં જ મન જોડાયેલું રાખવામાં આવે તે બને. અધમ છે આમ જ ઉત્તમ બન્યા છે.
હવે બીજી વસ્તુ શુદ્ધ ક્રિયાની એ માટે (૧) અસત્ય ન બોલવું. પૂર્વે બીજા વ્રતમાં આ કહા છતાં અહીં ત્યાજ્ય વાચિક અશુદ્ધિઓના સંગ્રહમાં અને ફરીથી કહ્યું. જૂઠ કેમ ન બોલવું? (1) જૂઠ બેલવામાં હદય માયાવી કરવું પડે છે; અગર (ii) વસ્તુની અજ્ઞાનતા સાથે અહંભાવમાનાકાંક્ષાદિ પિષાય છે, યા (ii) ભયથી કાયર-નિ:સત્વ બનાય છે; અથવા (iv) હૈયે ખેટા રાગ, દ્વેષ હાસ્ય વગેરે ઝેરથી વ્યાકુળતા છે માટે જૂઠ બોલાય છે. પણ એ જૂઠથી દિલમાં શા માટે એ ચિકણી કલુષિતતાઓ દઢ કરવી? ભાઠ બોલવાથી ફરી જીભ જ ન મળે! યા મળે તે ત્રાસના કપાંત ભરી ચીસો પાડનારી મળે. વસુભૂતિ જૂઠ બેલી નરકમાં જઈ પડ્યો. ધ્યાનમાં રહે, બીજાની ઉપર આળ-આરેપ ચડાવવામાં પણ દૂર જૂઠ પષાય છે, અને એ વળી દિલમાં મહા અધમતા-નીચતાને પષે છે. જૂઠ બેલી બીજાને હલકા પાડવાની વૃત્તિ જાગે એ ક્ષુદ્ર હૃદયને લીધે બને છે, ને એમાં તે ભવાભિનંદીપણું આવવાથી મેક્ષ રુચિ ખત્મ થઈ જાય ! ત્યાં ભયંકર કર્મ બંધાય ! સમરાદિત્યચરિત્રમાં એક પ્રસંગ આવે છે કે,
એક નણંદે પિતાને બે ભાઈઓને પત્નીઓ કરતાં