________________
૧૮૧
મહારાજને ભવ્ય પ્રવેશત્સવ ઉજજો. એમને અભુત ધર્મોપદેશ સાંભળી, મણિકાન્ત મૂળ પિતાના વ્રત પર આ બધે ધર્મઉદ્યોત જોઈ, ધર્મને અત્યંત મહિમા જાણીને ત્યાગ-તપસ્યાદિ પરમાર્થ સાધનામાં ચડી ગયે. મૂળ પરિગ્રહ પરિમાણ-ત્રતે આ પરમાર્થ ઊભું કર્યો. - આ બધું જોતાં અહિંસાદિ વ્રતોની સહજ સુંદરતા, પરલોકાનુયાયિતા, પરોપકારિતા અને પરમાર્થહેતુતા જોઈ વિચાર આવે કે, “અહો ! જીવને આ માનવભવે આર્યદેશ-કુળમાં જન્મીને મહાસુખમય સુંદર ધર્મજીવનની, જગતના ઉપકારની,
જીવનની પવિત્રતાની તથા ઉત્તરોત્તર ભાવો માટેના સુખદ નિર્મળ સંસ્કારની કેવી કલ્યાણ-કેડી મળી ! મહાપુરુષોએ એનું ભાન કરાવીને કે અનંત ઉપકાર કર્યો ! જ્યારે એ અદ્દભુત ધર્મગુણ ઉત્કૃષ્ટ રીતે મારા આત્માના પ્રદેશ પ્રદેશે હું ઓતપ્રત કરી દઉં !” આ રીતે ધર્મગુણેની સુંદર ભાવનાથી હૃદય ભાવિત કરે.
(૨) ધર્મગુણે-તેની દુષ્કરતાદિ सूत्र-तहा दुरणुचरत्तं, भंगे दारुणत्तं-महामोहजणगतं, एवं
અર્થ:-તથા વ્રતનું દુષ્કર પાલન, એના ભંગમાં ભયંકરતા મહામહકારિતા, એમ દુર્લભતા (ભાવિત કરે).
વિવેચન:-બતેની સુંદરતાદિ ભાવિત તે કરી, પરંતુ સાથે સાથે એ ધર્મગુણોને, મહામહના વિનકારી ઝંઝાવાતની વચમાં પણ, સમ્યગૂ રીતે અણીશુદ્ધ પાળવા માટે કે પ્રબળ પુરુષાર્થ જરૂરી છે એ વિચારે; તથા પૂર્વે તે અભ્યાસ નહિ