________________
૧૮૭
વિવેચનઃ-આ રીતે ધર્મ ગુણેાના સ્વીકાર કરીને એનું પાલન કરવામાં ખરાખર પ્રયત્નશીલ રહેવુ જોઇએ. જેમ રત્નકરડિયા કે મહામત્રાદિ મળ્યા પછી એનુ‘ રક્ષણ ભારે ચીવટ અને તકલીફ વેઠીને પણ કરાય છે, તેમ અન'તકાલે પ્રાપ્ત થયેલા આ અપૂર્વ રત્નકરડક-તુલ્ય ધમ ગુણેાને સાચવવા હવે કહેવાતી વિધિ મુજબ પ્રતિવુ જોઇએ. એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આમાં કદાચ કઠણાઇના અનુભવ થાય, તે પણ અતિ ટૂંકા એક ભવમાં વેઠેલી એ કઠણાઈ આગામી અન’તકાળ ઉપર સત્ ચૈતન્યને પ્રકાશ પાથરશે. તેમજ જ્યારે આપણા પેાતાના આત્માનુ સાચું ઝવેરાત પણ ધર્મ ગુણેા જ છે, તેા પછી પર એવી લક્ષ્મી અને વિષયે મેળવવા વેડાતાં ઘણાં ય કષ્ટોની અપેક્ષાએ અહી થાડાં પણ કષ્ટો ધર્મ ગુણા માટે ન વેઠીચે ? કષ્ટ વેઠીને સાગરચદ્ર, કામદેવ, ચદ્રાવત સક વગેરેએ ધર્મ ગુણ પાળી મહાન કલ્યાણ સાધ્યાં.
ધ ગુણના પાલનના પ્રયત્નમાં પહેલુ એ, કે હંમેશા શ્રી જિનાજ્ઞાના ગ્રાહક થવું જોઇએ, એટલે કે શ્રી જિનાગમનુ` રાજ અધ્યયન અને શ્રવણુ કરવું જોઇએ. પ્રશ્ન થાય કે અધ્યયન કર્યા પછી શ્રવણની શી જરૂર ? તે સમજવાનું કે જે વ્રતે-ગુણા સ્વીકાર્યો છે-એની તાત્ત્વિક શ્રદ્ધા કેળવવા માટે તત્ત્વજ્ઞાન મેળવવું જરૂરી છે. એ માટે શાસ્ત્રોનું અધ્યયન-સ્વાધ્યાય કરવા (ભણવું ગણવું) તે જીવનનું એક પ્રધાન અંગ છે. આ કરવા ઉપરાંત પણ, શ્રાવકે ભલે ધમ ગુણા-વ્રતાના શાસ્ત્રવિધાન જાણ્યાં તે ખરા, પરંતુ, શ્રાવકે ગુરુ પાસે જિનવાણીના ઉપદેશનું, શ્રાવકની સામાચારીનુ તથા વૈરાગ્યનું શ્રવણ પણ રાજ કરવું જોઇએ. (૧) જો એ નહિ હાય તા એ અહિંસાદિના પાલનના અને વૈરાગ્યના ચડતા