________________
२२०
અપ્રશસ્ત કૃષ્ણાદિ લેશ્યાને એપ ચઢેલો ન હય, આર્ત-રૌદ્ર ધ્યાનાદિના ઉકરડા ન હોય, ક્રોધાદિ કષાયના રંગ ન છંટાયા ન હોય, ઈત્યાદિ. તેવી જ વચન અને કાયાની ક્રિયાવાળા પણ બનવું જ જાઈએ. એટલે કે વાણી અસત્ય, આક્ષેપ, કર્કશતા, અપ્રિયકારિતા, અપરિમિતતા વગેરેથી કલુષિત ન હોય, તેમજ કાયિક આંગોપાંગ કે ઈન્દ્રિયની ચેષ્ટા (પ્રવૃતિ) એ બીભત્સતા, કૂરતા, ઉમટતા ઉશૃંખલતાદિથી રહિત હય, અર્થાત્ વિચાર, વાણી તથા વર્તન એ સત્ય, સજજનતા અને શાસ્ત્રીયતાના પાયા પર રચાયેલા હોય; ઉદારતા, ગંભીરતા અને પ્રેમથી સુવાસિત હોય; વ્યાપક ઔચિત્ય, જીવો પર સ્નેહ-ભાવદયા, તથા સહિષ્ણુતા અને દીર્ઘ દૃષ્ટિથી ઓતપ્રેત હાય.
એક વૈદ્યનું દૃષ્ટાંત:
આચાર પ્રદીપ' નામના જ્ઞાનચારાદિ પંચાચારને વર્ણવતા શાસ્ત્રમાં આવે છે. એક વૈદ્ય પોતાના ધંધામાં ઘણે ડૂબેલો અને મૂઢ બનેલો હતો. મુનિના ઉપદેશથી એને ભાન થયું કે “આમાં દવાઓ બનાવવા વનસ્પતિકાયાદિ છેને કે કચ્ચરઘાણ કરે પડે છે ! ગ્રાહક તરીકે બિમાર માણસો ચાર દહાડા વધુ આવે માટે એની બિમારી લંબાય...વગેરે માટે કેવી માયાવાણી અને કૂર કાળી લેશ્યા આવી જાય છે ! પૈસાને મલિન લેભ કે પ્રર્વતે છે !”...ઇત્યાદિ. એવા પાપોથી ગભરાઈ એણે એ બધા અનુચિત વર્તાવ-વાણુ-વિચાર લગભગ બંધ કરી દીધા, અને શ્રાવકના વ્રત પાળવા માંડ્યા. પણ વખત જતાં પાછો લોભ જા અને શ્રાવકને અનુચિત એ પાપની મલિન વિચારણાદિ પ્રવૃત્તિમાં પડ્યો. પરિણામે આર્તધ્યાનની બહુલતાએ