________________
૨૦૫
લોકવિરુદ્ધ એટલે લોકના દિલમાં ધર્મ પ્રત્યે દુર્ભાવ કરાવે એવા વાણી વર્તાવ. દા ત દાન તિરસ્કારથી દે, ભિખારીને જેટલી આપી પણ ગુસ્સાથી, “લે મેં બાળ, સાંઢ જે થઈને ભીખ માગતાં શરમાતું નથી ? –એમ કહીને ભિક્ષા આપી. એથી પેલાનું દિલ ઘવાય, મનને થાય કે “આ લોકેને ધર્મ આવે?”
ધર્મના અંચળા હેઠળ ઠગાઈ કરવી એ લોકવિરુદ્ધ કાર્ય છે. કેમકે જ્યારે એ ઠગાઈને ઘટસ્ફોટ થાય છે, ત્યારે અનેક લેકે ધર્મ તરફ અભાવવાળા બને છે. એક શ્રાવક બહારગામ ગયે ત્યાં એક શેઠે એને પિતાના ઘરે આવકાર્યો. પિલાએ જોયું કે આ ભાઈ ધર્મ પ્રવૃત્તિ સારી કરે છે, અને એથી લેકે એમની દુકાનેથી ખરીદી સારી કરે છે, પરંતુ એક ભાઈ સાધમિકવાત્સલ્ય માટે આમને ત્યાં ઘી લેવા આવ્યા એમાં ત્રાજવાના ઘડામાં કપટથી છાનીમાની પાંચશેરી સરકાવી દીધી, એ આ મેમાને જોયું. એને લાગ્યું કે આવી રીતે તે એ કેટલાયને ઠગતે હશે, માટે એને ગૂઢ શિખામણ આપવી. એ માટે એણે સાંજે સમૂહ-પ્રતિકમણમાં જઈ થેયને આદેશ માગે. આદેશ મળે અલબત એ સમજાતું હતું કે પ્રતિક્રમણ જેવી મહાપવિત્ર ક્રિયામાં આવી થાય ન બેલાય છતાં આ બેલવાથી એ ભાઈને શિખામણ લાગે અને લોકેને ધર્મના ઓઠા હેઠળ ઠગવાનું બંધ કરે તે સારું, એ હેતુથી આ પ્રમાણે શેય બોલે છે – શ્રાવકને ઘેર શ્રાવક આવ્યા,
કપટ જાળ દેખાણજી; પાંચશેરી સરકાવી ધડામાં,
ધર્મ એઠે ન ખાણજી...