________________
છું. અજ્ઞાન અને મેહના અનેક પ્રકારના પાપોએ મને ઘેરી લીધે છે. મારે સંસાર અનાદિ હેવાથી, અનાદિ કાળથી અભ્યસ્ત (બહુ સેવેલા) એવા મેહને લીધે મારા આત્માના પ્રદેશ પ્રદેશ, જેમ લસણની ગંધથી વસ્ત્રના તંતુએ તંતુ વાસિત થાય તેમ, રાગ, દ્વેષ અને મૂઢતાથી વાસિત છે. તેના નશાથી ઉન્મત્ત બનેલે હું, “હે પ્રભે ! અનભિજ્ઞ (અજાણી છું. મારા જ વાસ્તવિક હિત અને અહિતના ભાન વિનાને છું. એવું મારું શું ગજું કે સુકૃતની વાસ્તવિક અનુમોદના કરી શકું? પરંતુ અભિલખું છું કે અરિહંત દેવાદિના સાચા શરણ–સ્વીકાર દ્વારા એમના પ્રભાવે હું હિતાહિતને જાણકાર બનું, અહિતકારી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ ગની પ્રવૃત્તિથી પાછો હટું, તથા હિતકારી સમ્યગદર્શનચારિત્ર-માર્ગે પ્રવર્તમાન થાઉં; પ્રવૃત્તિથી હું મોક્ષ માર્ગને, મેક્ષ માર્ગના દાતા દેવાધિદેવને, સદ્ગુરુઓને, જિનાજ્ઞાને, સુકૃતને...ઈત્યાદિને આરાધક થાઉં. તથા સર્વ જીવ પ્રત્યે ઔચિત્યભરી પ્રવૃત્તિવાળે થાઉં. હું આ રીતે સુકૃતને ઈચ્છું છું. સુકૃતને ઇચ્છું છું, સુકૃતને ઈછું છું. આ ત્રણ વારનું કથન (૧) મન વચન કાયના ત્રિકરણ ચેગે સુકૃત કરવાની ઈચ્છા સૂચવે છે. (૨) ભૂત, વર્તમાન અને ભવિષ્ય-એ ત્રણ કાળના સુકૃતની ઈચ્છાને સૂચવે છે; અથવા (૩) “સુકૃતને એટલે કે અનુમંદનાને પણ કરવા કરાવવા અને અનુમોદવા-એ ત્રણ રૂપે ઈચ્છું છું, એ સૂચન છે.
આ સુકૃતનું આસેવન ઉત્તમ ક્રિયા છે. બીજા જીના સુકૃતની અનુમોદના પણ કેવી મહાફળદાયી છે, તે વિશેષે કરીને રથકાર ગૃહસ્થ, સાધુ બલદેવમુનિ અને તિર્યંચ મૃગના કથા