________________
૧૩૧
છે. અને અધ્યયન એટલે જ્ઞાનયોગ,-સમ્યફ શાસ્ત્રોની વાચનો, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા-એ પાંચને આત્મલક્ષી સતત અભ્યાસ, એમાં પરોવાયેલા રહે છે. જીવનમાં અધ્યયન અને ધ્યાનની મુખ્ય પ્રવૃત્તિ મુક્તિને આસ્વાદ અહીં કરાવે છે.
એવા સાધુ પુરુષે વળી “વિમુક્ઝમાણુભાવા –શાસ્ત્રવિહિત (શાએ ફરમાવેલા) સમિતિ-ગુપ્તિ-સ્વાધ્યાય આવશ્યક વગેરે અનુષ્ઠાનથી આત્માના ભાવને ઉત્તરોત્તર વિશુદ્ધ કરનારા હોય છે. જેમ હિંસા-જૂઠ-જુગાર-નિંદા-પરિગ્રહ-વિષયસેવા આદિ કિયાથી હૈયાના ભાવ શૂર-નિષ્ફર-માયાવી આદિ બને છે, તેમ આ સમિતિ-ગુપ્તિ, શાસ્ત્રવ્યવસાય; પ્રતિકમણ-પડિલેહણ આદિ ક્રિયાઓથી ભાવ શુદ્ધ શુદ્ધત્તર બને એ સહજ છે. અહે ! માનવભવની આ કેવી સુંદર સફળતા ! સાચેજ, અનંતકાળથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મસ્તર, હાસ્ય, શેક, રતિ, અરતિ વગેરે મહા મલિન ભાવથી અત્યંત ખરડાએલા આત્માનું સંશોધન વિશુદ્ધિકરણ શ્રી જિનાજ્ઞાકથિત પ્રશસ્ત વૃત્તિઓ અને પ્રવૃત્તિઓના ત્રિકરણ ગના પાલનરૂપી જલથી જે અહીં નહિ કરવામાં આવે, અર્થાત્ મલિન ભાવેને નાશ અને પ્રતિપક્ષી બ્રહાચર્ય, ક્ષમા આદિ વિશુદ્ધ ભાવેને આત્મસાત્ કરવાનું અહી ન કર્યું, તે પછી બીજા કયા ભવમાં કરી શકાશે? ધન્ય છે તે નિગ્રંથ ગુરુદેવને, જેમણે એ સંશોધનમાં સારું જીવન આપ્યું છે. એવા એ મુનિઓ સાધુ છે. સમ્યગદર્શન-જ્ઞાનચારિત્રતપથી માત્ર મુક્તિને સાધનારા હેવાથી સાધુ કહેવાય છે. તે મારે જાવજાજીવ શરણ–આશ્રયભૂત છે. આવા મહાન્ આત્માઓના શરણે જનારને એટલું તો જરૂર હદયનું વલણ બને કે જીવનના