________________
૧૬૦
છે અને સર્વ ધર્મ–પ્રવૃત્તિમાં જ શું, જીવન આખાને માટે જિનાજ્ઞા તે ડગલે ને પગલે આગળ કરવી જ જોઈએ. “મારે જિનાજ્ઞા પહેલી,” આ બંધન હોવું જ જોઈએ. “જિનાજ્ઞાથી જ તરાય” એ ઝળહળતે હદયપોકાર જરૂરી છે. નહિતર સ્વચ્છેદ પ્રવૃત્તિ થવાથી અજ્ઞાન ચેષ્ટા થાય; એથી ભવ પાર ન થવાય. (૨) વળી, એ ભાર દિલ પર રાખવા છતાં, સાથે દિલમાં વિષયલગની, ઈર્ષા, મદ, કઠોરતા, માયા, સ્વાર્થોધતા, વગેરે કલુષિત ભાવ ન રખાય. નહિતર એ જિનાજ્ઞાનું બળ ઓછું કરી નાખે. એમ માનાકાંક્ષા કે અદાવત, તથા સમૃદ્ધિ કે સત્તા ઈત્યિાદિની આકાંક્ષા પણ રખાય નહિ. દેવ-ગુરુ-કિયા પ્રત્યે હૃદયભીની ભક્તિ અને બહુમાન જોઈએ. આ માટે ચિત્ત-પરિણામ વિશુદ્ધ નિર્મળ પ્રશાંત હોવા જ જોઈએ. (૩) ત્યારે આ બંને છતાં પ્રમાદ તે ચાલે જ કેમ? ધર્મપ્રવૃત્તિને પાકે પુરુષાર્થ જોઈએ. નહિતર પાપને પુરુષાર્થ ચાલુ રહેવાનો. ત્યાં દિલના ભાવ શુષ્ક બની જવાના. ત્યારે અનાદિની આહારાદિની સંજ્ઞાઓ અને કષાયસંજ્ઞાઓના આહારાદિની પ્રવૃત્તિથી મેલા કુસંસ્કાર એથી વિરુદ્ધ તપ, દાન, વગેરે ધર્મપ્રવૃત્તિના પુરુષાર્થથી ઘસાતા આવે.
ખા-ખા આદિની પ્રવૃત્તિથી તે એ ષિાતા જ રહે. એમ, (૪) એ ત્રણે હેવા છતાં ધર્મપ્રવૃત્તિ જે ખોડખાંપણવાળી હશે, તે આત્માનું સત્તવ હણાશે. જો સત્વ અખંડ, તે શું કામ દેષ લગાડે ? ત્યારે પ્રવૃત્તિ દેશ-અતિચાર વિનાની અને તે જ એથી ઉપરની કક્ષાની પ્રવૃત્તિ આવે, ઉપરનાં ગુણસ્થાનકે ચડે, ને ઠેઠ પરાકાષ્ઠાએ વીતરાગતા સુધી પહોંચી શકે. સત્ત્વ વિના એ કશું ન બની શકે.