________________
૭
નિઘણપણે! ચાલતા એથી બીજે દિવસે ૫૦૦ શિષ્યો ગુરુને અભવ્ય જાણી છોડી ગયા. પછીના ભાવમાં એ ૫૦૦ રાજકુમાર થયેલા. એક વાર ક્યાંક પ્રસંગ પર ગયેલા તે રસ્તામાં એક ઊંટ જોયું કે જે અતુલ વેદનાની તીણી ચીસ નાખી રહ્યું હતું! એની પીઠ પર ભાર, ઉપરાંત ગળે પણ ભાર લટકાવેલા ! માલિકના કેટલા સેટા ખાધેલા ! ને શરીર પણ માખીઓ-જીવાતના ચટકાથી પીડાતું હતું! પાંચસેને પૂર્વના સંબંધથી કુદરતી વિશેષ લાગણી થઈ આવી. વિશિષ્ટ જ્ઞાની ગુરુને પૂછતાં એમણે કહ્યું, “આ પૂર્વ ભવે તમારે ગુરુ અંગારમક આચાર્ય હતે. અભવી હેઈ ચારિત્ર પાળવા છતાં આત્મગુણ–આત્મહિત સાધવાની વાત નહિ, તેથી અહીં મહા પીડા પામી રહ્યો છે. ને સંસારમાં ભટક્યા કરશે ! ' ધમસાધનને દુર્લભ પુરુષાર્થ કાળ:
કેવી દુર્દશા ! એક મન સુધારવાની વાત નહિ, તેથી મિક્ષસાધનામાં કોઈ પગથિયાં રચાય નહિ. માનવભવે આરાધનાને અતિદુર્લભ પુરુષાર્થ-કાળ મળવા છતાં આ તુચ્છ ઈન્દ્રિયોના તર્પણમાં અને મૂઢ મનના અસ૬ ગ્રહોમાં એને વેડફી નાખવાની મહામૂર્ખાઈ છેઆ પુરુષાર્થ-કાળનું એટલું બધું મહત્વ છે કે માતાપિતાની આજ્ઞાનું પાલન એ એક આદરણીય કર્તવ્ય છતાં જે એ ધર્મવિરેાધી આજ્ઞા હોય તે એનું પાલન નહિ કરવાનું, પણ ધર્મ પુરુષાર્થ જ અબાધિત રાખવાનું કેમકે એ દુર્લભ છે. સમ્યગ્દર્શન:– - છેલ્લા અર્ધ પુદ્ગલ પરાવર્તમાંજ આ પુરુષાર્થ વિકસ્વર બની અપૂર્વકરણરૂપ થઈ રાગદ્વેષની નિબિડ ગાંઠ ભેદે છે, ગ્રન્થિભેદ