________________
છે. શુભ અધ્યવસાય (ભાવ) ઉચ્ચ કેટિનાય અશુભ કર્મો તેડે છે, અને શુભ ફળ આપે છે, ત્યારે અશુભ ભાવ અધમ કેટિના ચીકણું પાપ કર્મ બંધાવે છે. અધ્યવસાયને મહિમા જુઓ કે દેખાવમાં બહુ હિંસા કરનાર જેટલે નીચે જતું નથી, તેથી - વધારે નીચે હિંસાની ઉગ્ર ભાવનાવાળે જાય છે. તંદુળિયા મચ્છને બહુ નાની કાયા, શક્તિ બહુ ઓછી, એથી દેખીતી હિંસા અ૫, છતાં પણ પાપના વિચાર એટલા હલકા કે એ મરીને નરકે જાય. અહિં એમ ન વિચારવું કે “ત્યારે તે હિંસા કરવામાં વાંધો નહિ, ભાવ શુદ્ધ રાખશું.” આ ખોટી માન્યતા ન ધરવી, કેમકે હિંસાની ક્રિયા પણ હિંસાના ભાવને પિષનારી છે; કારણ જીવ એમાં લાભ દેખે છે, એથી હિંસાપર રાગ થાય છે એટલે નવી નવી હિંસાની ભાવના જાગે છે જ. આ બહુ ભયંકર છે. હિંસા તો હજી ય કેઈક જ વખતે થાય, જ્યારે હિંસાની ભાવના સદા જાગ્રત રહે છે. કિયા કરતાં પણ ક્રિયાની ભાવના, વેશ્યા, પરિણામ, અધ્યવસાય વધારે સબળ વિકસેલા અને દીર્ધાયુષ્ક, દીર્ઘકાળ રહેનારા હોય છે. એમાં જે શુભ ક્રિયાના સારા અભ્યાસથી શુભ ભાવ વધારે સબળ હોય તે તે અશુભ કિયા વખતે પણ અશુભ ભાવ સારા દબાવે છે. દા. ત. ક્રિયા ખાવાની થતી હોય પણ જે ગુરુના વૈરાગ્ય-નીતરતા ઉપદેશની શ્રવણક્રિયા બાદ એના સ્મરણથી આહારની સંજ્ઞા ઉપર જુગુપ્સા થાય “રસને અને આહારને હું ક્યારે ત્યાગ કરીશ !” એવી ઝંખના વારંવાર રહેતી હોય, તે તે ઝંખના આત્માને બચાવનાર થાય છે. કમમાં કમ હદયના ભાવ તે આહાર-સંજ્ઞાને કાપવાના જોઈએ, પિષવાના ન હોવા જોઈએ.