________________
મારી વિચારસરણી હેવી જોઈએ.” આ જે નિર્ધાર રખાય, પરમાત્મા યથાસ્થિત વસ્તુવાદી છે, તેવી રીતે જ એ સ્વીકારાય, તે મેહની પ્રબળતા ન રહે. પછી કદાચ મેહનું દેણું ભરવું પડે, પણ તે છૂટવા માટે, વળગવા નહિ. મેહને આધીન ન બને, પણ મેહ ઉપર પાકે તિરસ્કાર રાખે. આંતર શત્રુ જે ક્રોધ તે કદાચ માંહી ઉદયમાં આવે. પણ બહારથી આંખ પણ લાલ થવા ન દે. કષાયના ઉદય વખતે જાગ્રત રહે. કષાયના ઉદયને આત્મવીર્યની સહાય ન દે. મેહના પગ એ ભાંગે, પણ મેહ એના પગ ન ભાંગે. ચાર વિશેષણવાળા પરમાત્મા ત્રણ ભુવનના ગુરુ, ત્રણ લોકના હિતકારી, જાણે લોકના જીવને એક માત્ર શરણ, એ જ પિતા, માતા, ભ્રાતા અને ત્રાતા છે. અરિહંતને અરુહંત પણ કહેવાય છે; અ-હંત એટલે જેમનામાં નાને સરખે પણ કમને ફણગે ફુટે નહિ, કર્મને અંકુર ઉભે થાય નહિ તે. તેમ અરિહંતને અરહંત પણ કહેવાય છે; અ-રહંત એટલે જેના કેવળજ્ઞાન આગળ બધું પ્રગટ છે. કાંઈજ રહસ્ય અજ્ઞાત (છુપું) નથી તે.
પ્રશ્ન-જે વીતરાગ સર્વજ્ઞ છે, તે યથાર્થ વસ્તુ કહેનારા તે છેજ, તે જુદું વિશેષણ કહેવાની શી જરૂર ?
ઉત્તર-અમારે જરૂર નથી પણ જેઓ અસત્ વસ્તુ સ્વીકારે છે તેના નિષેધ માટે આ વિશેષણ છે. તેઓની આ અસત માન્યતા છે કે “વસ્તુ વાણીને વિષય જ નથી, શબ્દ અને અર્થને સંબંધ જ લાગી શકતા નથીતેથી વસ્તુને યથાર્થ કહેનારા કઈ હોઈ શકે જ નહિ.” પણ જે વસ્તુ અને શબ્દને સંબંધ જ ન હતા તે અમુક સંકેતેલા શબ્દથી અમુક જ વસ્તુ કેમ જણાય ?