________________
તીવ્ર કેટિને રાગ ન જાય ત્યાં સુધી મિથ્યાત્વ ન જાય. (૨૬) રાગને પક્ષપાત ભારે હોય છે. પક્ષપાતવાળો રાગ એ તીવ્ર રાગ છે. જે કષાય હિતકારી લાગે, કર્તવ્ય લાગે, “કેમ ન કરીએ? એમાં શું થઈ ગયું?” એમ ભાસે; અંતરના ઉંડાણમાં પણ એ ખૂચે તે નહિ, કિન્તુ રુચે, એ તીવ્ર કષાય અનંતાનુબધુ કષાય છે. એ હોય ત્યાં સુધી સંસારને રસ અને અતત્ત્વને દુરાગ્રહ હદયમાંથી ખસે નહિ. એ તે કહે છે, “પત્ની ઉપર, પુત્ર ઉપર રાગ કરીએ તે શું વાંધે? ત્યાં રાગ ન કરીએ તે શું ત્યાં ઝઘડીયે ? ” પણ તેના જવાબમાં એમ પૂછીએ કે દુનિયામાં હિંસા, જૂઠ, ચેરી કેના માટે થાય છે? એજ પત્ની પુત્ર માટે ને? એની સાથે લડે નહિ, પણ અંધ રાગ એ છે કરે તે જીવનમાં દુર્ગણે અને દુષ્કાના ગુના ઓછા થાય. હિંસા, જૂઠ, ચેરી દુનિયા ઉપરથી ઓછા થાય તે સારું, કે વધે તે સારું? જગત શેનાથી સુખી ? (૨૭) હિંસા, જૂઠ, ચેરીમાં સહાયક તરીકે દ્રષ કરતાં રાગ વધારે. ચેરી કરાવી કેણે ? રાગે કે
? દુનિયામાં કોઈને દુઃખી જોવા છતાં તેનું દુઃખ ઓછું કરવા શા માટે યત્ન નથી ? ધનના અને કુટુંબના રાગને અગેજ. (૨૮) પરમાર્થ ચૂકવે છે કેણ? રાગ જ ને? એજ રાગને લીધે પછી ગરીબ પર દ્રષ થાય, કહે “તગડો થઈને માગે છે? મજુરી કરવી નથી'ઇત્યાદિ (૨૯) અનીતિ કરી પચીસપચાસ મળતા હોય તે તેના અંગે મેળવાય ? રાગના અંગે કે દ્રષના અંગે ? દુનિયામાં તોફાન મૂળ રાગના જ છે. રાગ મેળ પડે, તે પાપ ઓછા થઈ જાય. (૩૦) દુનિયા કદાચ દ્વેષમાં ડાહી હશે, પણ રાગમાં તે પાગલ જ છે.