________________
લુચ્ચાઈ પ્રપંચ, દગ, ફટકે, વિશ્વાસઘાત કરે. સ્વભાવથી કપટ કરનારે; કેળવેલી ગુંડાગીરી આદરના. નિષ્ણાજન નાની વાતમાં, નકામી બાબતમાં પણ માયા! સીધી વાત કરે નહિ, સરલતા નહિ. કાંઈ લેવાદેવા નથી, છતાં સ્વભાવથી જ દો! ભૂતકાળને અનંતવારને અભ્યાસ કારમી માયાને. માયા જ આવડે. એને લોહીના પરમાણુ જ એવા કે એકલી માયા જ કરે. તેના યોગે કર્મ પણ એવા બાંધે. આ બધા અનંતકાળના અવળા વાળ સીધા સવળા કરે નહિ, અવળાં વીંટ્યા તેવા સવળા ઉકેલે નહિ, ઉંધાઈ મૂકી સીધી દિશા પકડે નહિ એ બધું ભવાભિનંદીપણામાં સુલભ છે. એનાથી બચવું હોય તે અંતરમાં કદાચ માયાને વિચાર જાગે, પણ એમાં પુરુષાર્થ ન જ ભેળવાય, અર્થાત માયાને અમલી ન બનાવાય, પણ તેને ગુંગળાવાય, જેથી એ કારગત ન થાય તે હજી બચાય. છળ પ્રપંચ દગોફટકા કર્યે રાખવા છે, જગતના લાભ કે જગતની વડાઈ લેવા માટે વાતવાતમાં વકતા વાપરવી છે, માયા આચરવી છે, ત્યાં મેક્ષની તમન્ના ક્યાં ઊભી રહે ? | માયાનું પાપ જગતમાં બહુ સહેલું, એમાં ઉઘાડા પડીએ છીએ એવું ન દેખાય. પાછું હોશિયારમાં ખપાય, અને માયાથી લાભ થતે દેખાય. આ કાળજુની એની કુટેવને ટાળવા દિલને શુદ્ધ બનાવવું પડે. કદાચિત માયા કરવા મન ઊઠે, પણ હૃદય ને પાડે. “ધ્રુવ આત્માના ગુણ અધ્રુવ જડ ખાતર મારે ગુમાવવા નથી,” એમ હૃદય પિકારે, પછી મન કદાચ માયા કરાવી જાય પણ તે કેવી ? મળી. ભવાભિનંદીને તે છૂટથી પ્રપંચ, માયા, કપટ જોઈએ, જોરદાર જોઈએ, એમાં અફસોસ નહિ. મામુલી