________________
દુર
વિચારાય ‘ કે આપણે નારાજ શા માટે થવું ? મનને ઉદ્વેગથી પાછુ' વાળી પ્રેમમાં જોડાવું જોઈ એ. ’ પણ આ શુભ વિચાર પરાણે લાવવા પડે છે. ભયભીત થવું સહેલું છે, નિર્ભય થવું મુશ્કેલ છે, ભય જેટલેા જલ્દીથી આવે એટલી નિર્ભયતા જલ્દી આવતી નથી. શતાના વિચારે જીવને બહુ સુલભ. સ્વાર્થ સાધવા, પેાતાની જ અનુકુળતા જોવી, આ વૃત્તિએ જીવની સાથે જાણે સહજ ઘડાઈ ગઈ છે! એ વૃત્તિઓને સિદ્ધ કરવા ઉદ્યમ કરવા પડતા નથી. બીજાની સેવા લેવાના, બીજાના ભેાગે સુખ લેવાના વિચાર પહેલાં આવે, પણ પરમાથ માટે જાતના ભેાગ આપવાની વૃત્તિ છેલ્લે ય આવવી મુશ્કેલ. આપણી હેાશિયારીથી જ અનુકૂળતા મળે છે, એવી માન્યતા ઘડાઈ ગઈ છે, માટે આ વૃત્તિ સુલભ થઈ પડી છે. ખબર નથી કે પુણ્ય વિના ફામાં. એક જરાક આપત્તિ આવી પડી કે જીવ દુષ્ટ વૃત્તિઓને આશ્રય સહેજે લે છે, પણ જો સાવધાન અને, તે આપત્તિ તેા આવી અધમ વૃત્તિઓને દૃખાવવા ખરેખરી ઉપયાગી થાય એમ હાય છે. આપત્તિ તે ગુણશ્રેણીની પરીક્ષામાં જલ્દી પાસ થવાની પરીક્ષા છે. આપત્તિ જ ખરા કસાટીને કાળ છે. આમ તે આવી અધમ વૃત્તિએ ઝટ જાગે નહિ, પણ આપત્તિ કાળે જાગે, તે વખતે એને શુભ વૃત્તિએથી કચડી શકાય. મૂર્ખતા અને મૂઢતા કે જે ગળથ્વીમાં એકમેક થઈ ગઈ છે, તેને ટાળી આત્મામાં જ્ઞાન અને વિવેકની નવી ભાત પાડવાની છે. સ્વેચ્છાથી, મૂર્ખતાથી ને મૃતાથી કરેલા કાર્યોંમાં નિષ્ફળતા અને નિસ્સારતા લગભગ રાજની વસ્તુ થઈ પડી છે. જ્યારે સફળતા હુંમેશની, અને નિષ્ફળતા કાક દિવસની. સારવાળી પ્રવૃત્તિ ઘણી, અને અસાર