________________
33
પૌગલિક લોભ, એની પછી થતે લાભ, એના પર વધત લભ અને વધુ મેળવવાની દેડધામ, વળી પૂર્વની પુણ્યાઈ–વશ થત લાભ, એમ લાભ-લાભની પરંપરા ચાલે છે. એ વિષચક્ર છે. કપિલ બ્રાહ્મણને રાજા બે માસા સોનું ભેટ આપશે એ આશા હતી. પણ જ્યારે રાજા કહે છે “માગ શું જોઈએ છે?” ત્યારે કપિલને એટલો લાભ નક્કી થઈ જવા પર વધુ લોભ જાગે કે રાજા મારી ઈચ્છા મુજબ માગવા કહે છે તે પછી ચાર માસા માગું' પણ પાછું મનમાં થયું કે “એટલું તે રાજા આપશે પણ એટલેથી શું? ” એમ લાભ ઉપર લાભ વધ્યો. વળી પાછો રાજાએ આપવાનો આંકડો માંડ્યો નથી એટલે અધિકાધિક લાભ કલ્પી એના પર “૮–૧૫-૨૫માગું ” એમ લેભ વધતાં ઠેઠ કેડના આંકડે કામ પહોંચ્યું ! ત્યાં પોતે હવે ચેકી ઊઠે છે, કે “અરે ! આ શું? આમ તે લોભને ભ નહિ “રૂછી શુ કારણમાં ગંતા!” અહે ! આ મૂઢ જીવની કેવી અનંતાનંત કાળથી ગોઝારી લોભની લત કે હજી આવા ઊચ્ચ માનવભવે પણ છૂટતી નથી ! આવા બુદ્ધિ, સમજ, વિવેકના ભવે નહિ છૂટે તે ક્યાં છૂટશે ? લાભ તે અનંતીવાર અનુપમ અનુપમ થઈ ગયા, છતાં લોભ શમ્યો નથી એ હકીકત છે. લાભથી લોભ ન શમે; એ તે તદ્દન નિઃસ્પૃહતાથી જ શમે. માટે મારે હવે લોભ કરાવનારા ઘરવાસ માત્રથી સર્યું ” એમ કરી કપિલ મુનિ બન્યા. છ માસમાં આંતરિક સૂક્ષ્માતિસૂક્ષમ પણ લોભના ફુરચા ઉડાવી કેવળજ્ઞાની બન્યા !
પરંતુ ભવાભિનંદી જીવ લાભ-લોભના વિષચક્રમાં ફસેલો એ બનેને અતિ જરૂરી લેખે છે. કદાચ ભગવાનની ભક્તિ