________________
એમાં મોક્ષની રુચિ છે, તત્વો આગ્રહ છે, પરિણતિજ્ઞાન છે. આ બધું ક્યારે આવે ? પાપને પ્રતિઘાત થયા પછા જ. ભવચિનું પાપ જાય તે જ મોક્ષરુચિ વગેરે પ્રગટે. અતત્વ-મિથ્યાત્વની રુચિનું પાપ જાય, તે જ તત્વની રુચિ જાગે. સંસારરસિકતાનું પાપ જાય, તો જ એક્ષરસિકતા આવે. વિષય-પ્રતિભાસ જ્ઞાન અર્થાત વિષને સુખભર્યા અને ઇન્દ્રિોને સુખસાધન તરીકે દેખવું, એ પ્રતિભાસ જ્ઞાન જાય, તે જ તત્ત્વ-પરિણતિને ગુણ આવે. પરિણતિ એટલે વિષયે, એના સાચા સ્વરૂપે ઓળખાય, હળાહળ વિષસમા સમજાય, ભાવવૃદ્ધિ કરનારા તરીકે હદયમાં અંકિત થાય. એવું જ હિંસા અસત્યાદિ પાપ માટે લાગે. આ થવાથી મિથ્યાત્વ-પાપને પ્રતિઘાત થઈને સમ્યગદર્શનરૂપી ગુણબીજની પ્રાપ્તિ થાય.
આ સૂત્રો પદાર્થ ઉપરથી સમજ સહેલું છે, પરંતુ ગંભીર છે. અર્થાત્ હદયમાં એની સ્પેશના કરવાનું કાર્ય ઊંડો વિચાર માગે છે.
પાપ-પ્રતિઘાતથી અશુભાનુબંધને આશ્રવ અટકી જવાથી તથા ગુણબીજાધાન દ્વારા શુભાનુબંધનો આશ્રવ ઊભો થવાથી હવે હૃદયમાં હિંસાદિ દુષ્કૃત્યેના ભાવ જાગવાની પાપ સામગ્રી અટકી જઈને ગુણના ભાવ જાગવાની સામગ્રી ઊભી થાય છે. એવી શુભ વૃત્તિ-પ્રવૃત્તિને અનુકૂળ સામગ્રી બાહથી માનવદેહ, આર્યક્ષેત્ર, પાંચ ઈન્દ્રિય તથા સ્વસ્થ મન, આરોગ્ય, અરિહંત દેવાધિદેવ, નિગ્રંથ ગુરુ, સર્વસ વચન ઈત્યાદિ, તથા અત્યંતરથી શુભભાવ સમ્ય