________________
- વિશ્વાસ વગેરે ઊભા થાય છે. ઠેઠ મોક્ષ પામવા સુધી આવી સામગ્રી મળ્યા કરવાની. અશુભ અનુબંધના પ્રતિઘાત અને શુભાનુબંધના આધાનથી આ બની આવે છે. એ પુણ્યાનુબંધી પુણ્યને પ્રભાવ છે. એમાં મુખ્ય તે વિશુદ્ધ અધ્યવસાય યાને હદયનો વિશુદ્ધભાવ કે જેમાં મેક્ષ ને ધર્મગુણની તીવ્ર તમન્ના વગેરે છે એ ગુણબીજ છે.
જ્યારે ગુણબીજાધાનથી હિંસા-વિરમણ આદિ ગુણો તરફ રુચિ સાથે આકષર્ણ ઊભું થયું એટલે આ ગુણ સ્થૂલથી સ્વીકારવા માટે પ્રયત્ન થાય છે. “સ્કૂલથી એટલે ગૃહસ્થ ઘરવાસમાં રહેતાં પાળી શકે તેવા મોટા મોટા રૂપમાં હિંસા-વિરમણ, અસત્ય-વિરમણ, વગેરે. એમાં દા. ત. ૧. “નિરપરાધી હાલતા ચાલતા જીવને જાણ જોઈને હું મારીશ નહિ” ૨. “કન્યા, ઢેર, ભૂમિ વગેરે અંગે જૂઠું બોલીશ નહિ.” પ. પરિગ્રહ અમુક પ્રમાણથી વધુ રાખીશ નહિ”..વગેરે. એને અણુવ્રત કહે છે. સંસારત્યાગી સાધુને મહાવ્રત હોય છે કે જેમાં પૃથ્વીકાય, અપકાય, વગેરે નાના જીવની પણ હિંસા વર્યું છે, એમ સૂક્ષ્મ પણ અસત્યનું ભાષણ નહિ...રાતી પાઈનો ય પરિગ્રહ નહિ, ઇત્યાદિ. એ સ્થિતિનું દિલ ઊભું કરવા માટે અહીં અણુવ્રતે, અને એમાં પિષક બાબતેનો આદર, તથા બાધક બાબતેનો ત્યાગ, આ બધાનો અભ્યાસ કરવાનો હોય છે. આ અભ્યાસ મહાવ્રત અને ક્ષમાદિ દશ પ્રકારના સાધુધર્મો પહોંચવા માટે છે. તેથી એને સાધુધર્મની ભાવનાવાળો અભ્યાસ યાને પરિભાવના કહે છે.