________________
વિકાસ અને કર્તવ્ય-અમલને વિશ્વાસ અધિકાધિક જાગને જાય છે ને? એ ખાસ તપાસવું ઘટે.
આ પંચસૂત્રની ભાષા આગમ જેવી અતિમધુર, પ્રૌઢ અને ભાવવાહી હાઈ એની રચના કે પ્રાચીન પૂર્વધર મહર્ષિએ કરી હોય એમ સમજાય છે. એમાં રહેલા વિશિષ્ટ કેટિના ભાવ જોઈને ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા મહાન શાસ્ત્રકાર આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથ ઉપર શબ્દસંક્ષિપ્ત અને અર્થગંભીર વ્યાખ્યા લખેલી છે. એમના પણ વચને સૂત્રવચન જેવા હેઈને એનાં ય રહસ્ય ગંભીરપણે ઉકેલવા રહે છે. પ્રસ્તુત વિવેચનને પ્રયત્ન એ માગે એક અલ્પ પ્રયાસ છે.
પંચસૂત્ર” શું? : પાંચ સૂત્રને વિષય:
આ શાસ્ત્રનું નામ શ્રી પંચસૂત્ર એટલા માટે છે કે આમાં મુખ્ય પાંચ અધિકારને લગતા પાંચ સૂત્રનો સમૂહ છે. અધિકારનાં નામ આ પ્રમાણે છે
(૧) પાપ-પ્રતિઘાત અને ગુણબીજાધાન (૨) સાધુધર્મ–પરિભાવના (૩) પ્રવ્રજ્યા-ગ્રહણ–વિધિ (૪) પ્રત્રજ્યા-પ્રતિપાલન (૫) પ્રવજ્યા-ફળ.
(૧) પાપ-પ્રતિઘાત અને ગુણબીજ
પાંચમામાં પ્રવ્રજ્યા એટલે કે દીક્ષાના ફળ તરીકે અનંત અવ્યાબાધ સુખાદિમય આત્માની સિદ્ધ અવસ્થા,