________________
અધિકાર અને અભેદ ~
~~ સંખ્યા જ કયાં રહી કે સમાનતા બની શકે? જ્યાં વ્યક્તિઓ જ નથી, ત્યાં સમાનતા કોની કોની સાથે? માટે ખરે સિદ્ધાન્ત સર્વની સમાનતા (Equality) ને નથી, પણ સર્વની એકતા (Unity) ને છે. અનેકતા જે પ્રકૃતિની ભૂમિકા ઉપર નજરે આવે છે તેની પાર એકતાનું તત્ત્વ (Principle of Unity ) રહેલું છે, જે પ્રકૃતિની અનેકતાનું નિયામક,
અને એ અનેકતામાં પિતાનું સ્વરૂપ પ્રકટાવનારું છે. વળી, આ અદ્વૈતના સિદ્ધાન્તને તત્ત્વજ્ઞાન ઉપરાંત બીજાં શાસ્ત્રોથી પણ પુષ્ટિ મળે છે. જનતાનાં શા (Sociology અને Politics) ના અભ્યાસકેને સુવિદિત છે કે જનતા (Society) એ જનરૂપી પરમાણુઓને સમુદાય (aggregate of individuals) નથી, પણ જનતા એ જ પ્રથમસિદ્ધ પદાર્થ છે, અને જ-વ્યક્તિઓ (Individuals)એ જનતાના અવયવો (fractions, manifestations) છે. આપણું વેદાન્તની પરિભાષામાં બોલીએ તે, સમષ્ટિ એ વ્યષ્ટિઓને સમુદાય નથી, પણ વ્યષ્ટિએ એ સમષ્ટિનાં અંગ છે.
ઉપરના વિવેચને ત્રણ વાત બતાવી આપી(૧) એક તે એ કે કેવળ પ્રકૃતિ (Nature)માંથી એક સારા
બેટાનું ઘેરણ હાથ લાગતું નથી. વિશ્વમાં કઈ પણ બે સારા ખોટાનું વ્યક્તિ સર્વથા સમાન નથી; જે થોડું ઘણું સામ્ય દેખાય ધારણ– છે તે પ્રકૃતિની પાર રહેલા અભેદને ધ્વનિ છે, પ્રકૃતિના અભેદ તત્વઃ ભેદની વચ્ચે ચકચકિત પ્રકાશતા અને પ્રકૃતિની પારના (૧) પ્રકૃતિથી પર એવા અભેદ તત્તવનું તેજ છે. (૨) બીજી વાત એ સિદ્ધ થઈ કે આ પર તત્વ માત્ર પેલી પાર
પડી રહેનારું ન હોવું જોઈએ. આ પર તવ પ્રકૃતિની (૨) પ્રકૃતિની અનેકતાને એકરૂપે દર્શાવનારૂં-એકરસ કરનારૂં–હેવું
જોઈએ; નહિ તે પ્રકૃતિની અનેકતા-વિષમતા એક પાસ
રહી જાય, અને બીજી પાસ એ સાથે અસંબદ્ધ એવી એકતા પડી રહે. અથત, એ એકતાના તત્વને કેવળ અળગું માનવું એ જે અથે એકતાને સ્વીકાર છે એ અર્થ સિદ્ધ કરવાને બદલે એ અર્થનું જ વિધાતક નીવડે છે. * પણ તે કકડાના અર્થમાં નહિ, અને તેથી જ “અંશાશિભાવના સિદ્ધાન્તને ત્યાગ, અને માયાના સિદ્ધાન્તને સ્વીકાર.
અન્તર,