________________
અધ્યાય ૧ - સૂત્ર ૧
સમ્યગૂજ્ઞાનપૂર્વક કાષાયિક ભાવની એટલે કે રાગષની અને ગની નિવૃત્તિ થવાથી જે સ્વરૂપરમણ થાય છે, એ જ “સમ્મચારિત્ર” છે.
- સાધનાનું સહર્ષ : ઉપર જણાવેલાં ત્રણે સાધનો જ્યારે પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થાય ત્યારે સંપૂર્ણ મોક્ષનો સંભવ છે, અન્યથા નહિ. એક પણ સાધન જ્યાં સુધી અપૂર્ણ હોય છે, ત્યાં સુધી પરિપૂર્ણ મોક્ષ થઈ શકતો નથી. ઉદાહરણ તરીકે, સમ્યગ્ગદર્શન અને સમ્યગૂજ્ઞાન પરિપૂર્ણ રૂપમાં પ્રાપ્ત થઈ જાય છે. છતાં સમ્યફક્યારિત્રની અપૂર્ણતાને લીધે તેરમાં ગુણસ્થાનમાં પૂર્ણ મોક્ષ અર્થાત અશરીરસિદ્ધિ અથવા વિદેહમુક્તિ થતી નથી, અને ચૌદમાં ગુણસ્થાનમાં શૈલેશ
૧. “ગ” એટલે માનસિક, વાચિક તેમ જ કાયિક ક્રિયા.
૨. હિંસાદિ દેને ત્યાગ અને અહિંસાદિ મહાવ્રતોનું આચરણું પણ સભ્યશ્ચારિત્ર કહેવાય છે. કારણ કે તે દ્વારા રાગદ્વેષની નિવૃત્તિ કરી શકાય છે અને એમની નિવૃત્તિથી દોને ત્યાગ અને મહાવ્રતનું પાલન સ્વત:સિદ્ધ થઈ જાય છે.
૩. જે કે તેરમાં ગુણસ્થાનમાં વીતરાગભાવરૂપ ચારિત્ર તો પૂર્ણ જ છે, છતાં અહીં જે અપૂર્ણતા કહેવામાં આવી છે, તે વીતરાગત્વ અને અગતા એ બંનેને પૂર્ણ ચારિત્ર માનીને જ. આવું પૂર્ણ ચારિત્ર ચૌદમાં ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે અને તરત જ અશરીરસિદ્ધિ થાય છે.
૪. શૈલેશી અવસ્થા એટલે આત્માની એક એવી અવસ્થા કે જેમાં ધ્યાનની પરાકાષ્ઠાના કારણથી મેરુ સરખી નિપ્રકંપતા કે નિશ્ચલતા આવે છે. વધારે ખુલાસા માટે જુઓ હિંદી કમગ્રંથ બીજે, પૃ. ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org