________________
અધ્યાય-૧૦
નવમા અધ્યાયમાં સંવર અને નિર્જરાનું નિરૂપણ થઈ જવાથી છેવટે બાકી રહેલ મોક્ષતત્વનું જ નિરૂપણ આ અધ્યાયમાં કમપ્રાપ્ત છે.
હવે કૈવલ્યની ઉત્પત્તિના હેતુઓ કહે છેઃ मोहक्षयाज्ञानदर्शनावरणान्तरायक्षयाच વસ્ત્રમ્ ! !
મેહના ક્ષયથી અને જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાંયના ક્ષયથી કેવલ પ્રગટે છે.
મેક્ષ પ્રાપ્ત થયા પહેલાં કેવલ ઉપયોગ (સર્વજ્ઞત્વ, સર્વદર્શિત) ની ઉત્પત્તિ જૈનશાસ્ત્રમાં અનિવાર્ય મનાઈ છે; તેથી જ મેક્ષના સ્વરૂપનું વર્ણન કરતાં કેવલ ઉપયોગ કયાં કારણોથી ઉદ્દભવે છે, એ અહીં પ્રથમ વર્ણવવામાં આવ્યું છે. પ્રતિબંધક કર્મ નાશ પામવાથી સહજ ચેતના નિરાવરણ થવાને લીધે કેવલ ઉપયોગ આવિર્ભાવ પામે છે. એ પ્રતિબંધક કર્મો ચાર છે, જેમાંથી પ્રથમ મેહ જ ક્ષીણ થાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org