________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨) મના કરતાં તમારી દ્રષ્ટિમાં હવે શુદ્ધ પરિણતિના અનુભવમાં કેટલે વિશેષ નિશ્ચય થયું છે, તમારે આત્મા તમને તે સંબંધી પ્રત્યુત્તર આપશે. અહનિશ સાંસારીક પદાર્થોમાં સુખની બુદ્ધિથી રાચી માચી રહી તમે આત્મસંબંધી જરા માત્ર લક્ષ આપતા નથી, અને એકદમ શુદ્ધ પરિણતિને અનુભવ કરે છે, તેની હયાતિ જાણવી છે, આ બાબતમાં તમે કેટલું બધું સાહસ કરે છે ? તમે તમારા શરીરને નવરાવવા, ખવરાવવા, અને શણગારવા જેટલે વખત ગાળો છે, તેટલે પણ વખત શું શુદ્ધ પરિણતિના અનુભવ માટે થતા ધ્યાનરૂપ પ્રયાસમાં ગાળે છે ? ના નથી ગાળતા;
જ્યારે તમે ગાળતા નથી ત્યારે તે વસ્તુને તમને અનુભવ થાય નહી તે યોગ્ય છે. તમારે શુદ્ધ પરિણતિ માટે પ્રયત્ન કરે નથી, અને શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ કરવી છે તેવી નકામી આશાથી તમારું કાર્ય સિદ્ધ થવાનું નથી. તમે તમારા પુત્રને માટે, તથા તમારી સ્ત્રી માટે, તથા તમારા ઘેર આવેલા પ્રાહુણાઓ માટે, કેટલે બધો વખત ગાળે છે ? તેટલો વખત પણ તમે ખરા અંતઃકરણથી શુદ્ધ પરિણતિ અનુભવ કારણ ધ્યાન માટે જ્ઞાનપૂર્વક દરજ સેવ્ય છે? ઉત્તરમાં કહેશે કે સેવ્યું નથી. જ્યારે ધ્યાન પ્રયત્ન સેવ્યું નથી, તે તેને અનુભવ તમે પ્રાપ્ત કરી શકવાના નથી. ખાતાં પીતાં પ્રભુ મીલે તો હમકું ભી કહિયે. આવી સ્થિતિ
For Private And Personal Use Only