Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમકાર
૫૩
બંધનો વિચ્છેદ થયા પછી સમયનૂન બે આવલિકાકાળમાં બંધાયેલા બીજી સ્થિતિમાં રહેલા દલિકને ગુણસંક્રમ વડે માયામાં સંક્રમાવતાં સંક્રમાવતાં ચરમ સમયે સઘળું સંક્રમાવી સત્તારહિત થાય, અને માયાનું પણ પ્રથમ સ્થિતિરૂપે કરાયેલું પહેલી કિટ્ટિનું દળ ભોગવતા ભોગવતા સમયાધિક આવલિકામાં ભોગવાય તેટલું શેષ રહે. ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલા બીજી કિક્રિના દલિકને ખેંચી પ્રથમ સ્થિતિ કરે અને તેની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી અનુભવે. ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલા ત્રીજી કિટ્રિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી અનુભવે. જે સમયે માયાની પ્રથમ સ્થિતિરૂપે કરાયેલ ત્રીજી કિષ્ટિની સમયાધિક આવલિકા શેષ રહે તે જ સમયે માયાના બંધ ઉદય અને ઉદીકરણાનો એક સાથે વિચ્છેદ થાય. તેની સત્તા પણ સમયગૂન બે આવલિકા કાળમાં જે બંધાયેલ છે તે જ છે. કારણ કે શેષ સઘળાં દલિકોને ભોગવી અને ગુણસંક્રમ વડે લોભમાં સંક્રમાવી દૂર કરેલ છે. દરેક કિષ્ટિની પહેલી સ્થિતિની એક એક આવલિકા જે શેષ રહે છે, તેની વ્યવસ્થા પહેલા કહ્યા પ્રમાણે સમજવી. જે સમયે માયાના બંધ ઉદયનો વિચ્છેદ થાય ત્યારપછીના સમયે લોભની બીજી સ્થિતિમાં રહેલા પહેલી કિલ્ફિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે છે, અને તેને અંતર્મુહૂર્ત સુધી અનુભવે છે. સંજ્વલન માયાના બંધાદિનો વિચ્છેદ થયા પછી સમયનૂન બે આવલિકાકાળમાં બંધાયેલું તેનું જે દળ સત્તામાં હતું, તેને તેટલી જ કાળે ગુણસંક્રમ વડે લોભમાં સંક્રમાવી તેની સત્તારહિત થાય છે, અને લોભનું પણ પ્રથમ સ્થિતિરૂપે કરાયેલું પહેલી કિષ્ટિનું દળ ભોગવતાં સમાયાધિક આવલિકામાં ભોગવાય તેટલું શેષ રહે છે. ત્યારપછીના સમયે લોભની બીજી સ્થિતિમાં રહેલા બીજી કિલ્ફિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરે અને તેને અનુભવે. તેને અનુભવતો લોભની બીજી સ્થિતિમાં રહેલા ત્રીજી કિટ્રિના દલિકને અત્યાર સુધી જે કિઠ્ઠિઓનાં દલિકો અનુભવ્યાં તેની અપેક્ષાએ અત્યંત હીન રસવાળી કરી સૂક્ષ્મ કિક્રિઓ કરે. તે સૂક્ષ્મ કિઠ્ઠિઓ પણ ત્યાં સુધી કરે કે પ્રથમ સ્થિતિરૂપ કરાયેલ દ્વિતીય કિટિના દલિકને ભોગવતા ભોગવતા સમયાધિક આવલિકા પ્રમાણ શેષ રહે. તે જ સમયે સંજવલન લોભનાં બંધનો, બાદરકષાયની ઉદય-ઉદીરણાનો, અને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના કાળનો એક સાથે જ વિચ્છેદ થાય છે. જે સમયે લોભનો બંધવિચ્છેદ થયો ત્યારપછીના સમયે બીજી સ્થિતિમાં રહેલ સૂક્ષ્મ કિલ્ફિના દલિકને ખેંચી તેની પ્રથમ સ્થિતિ કરી તેને અનુભવે છે. તે સમયે સૂક્ષ્મ કિઠ્ઠિઓને અનુભવતો હોવાથી આત્મા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનવર્તી કહેવાય છે. બીજી કિટ્ટિની જે એક આવલિકા શેષ રહી તે તિબુક સંક્રમ વડે સૂક્ષ્મ કિટ્ટિમાં સંક્રમી સૂક્ષ્મકિઠ્ઠિઓ સાથે જ ભોગવાઈ જાય છે. સૂક્ષ્મસંપરાય ગુણઠાણે લોભની સૂક્ષ્મકિઠ્ઠિઓને ઉદય ઉદીરણા વડે વેદતો, બીજી સ્થિતિમાં રહેલા સૂક્ષ્મ કિક્રિઓના દલિકને, અને સમયગૂન બે આવલિકાકાળમાં બંધાયેલા દલિકને સ્થિતિઘાતાદિ વડે ક્ષય કરતો કરતો ત્યાં સુધી જાય, કે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે. તે સંખ્યાતમા ભાગમાં સંજવલન લોભને સર્વોપવર્તના વડે અપવર્તીને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની
૧. જે વીર્યપ્રવૃત્તિ દ્વારા એકદમ સ્થિતિ ઘટી હવે જેટલો ગુણસ્થાનકનો કાળ હોય, તેટલી જ બાકી રહે તે સર્વાપવર્નના કહેવાય.