Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમકાર
આરંભી તેઓના દ્વિતીય સ્થિતિના દલિકને પુરુષવેદમાં સંક્રમાવતો નથી, પરંતુ સંજવલન ક્રોધમાં સંક્રમાવે છે. છ નોકષાયોનો પણ પૂર્વોક્ત વિધિએ ક્ષય થતા થતા અંતર્મુહૂર્વકાળે સર્વથા ક્ષય થાય છે. જે સમયે હાસ્યષકનો ક્ષય થાય, તે જ સમયે પુરુષવેદના બંધ, ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય છે, અને સમયન્યૂન બે આવલિકાકાળમાં બંધાયેલા દલિક છોડી શેષ સંપૂર્ણ દલિકનો પણ ક્ષય થાય છે. પુરુષવેદનો ઉદયવિચ્છેદ થયા પછી આત્મા અવેદ-વેદના ઉદય વિનાનો થાય છે. આ પ્રમાણે પુરુષવેદના ઉદયે શ્રેણિ આરંભનાર આશ્રયી સમજવું. જ્યારે નપુંસકવેદના ઉદયે ક્ષપકશ્રેણિનો સ્વીકાર કરે, ત્યારે પહેલા સ્ત્રીવેદ અને નપુંસકવેદને એક સાથે ખપાવે છે. સ્ત્રીવેદ અને નપુંસકવેદના ક્ષય થતાની સાથે જ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. ત્યારપછી અંતર્મુહૂર્વકાળે પુરુષવેદ અને હાસ્યાદિષકનો પણ એક સાથે જ ક્ષય થાય છે. જ્યારે સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ આરંભે, ત્યારે પહેલાં નપુંસકવેદનો ક્ષય કરે, ત્યારપછી સ્ત્રીવેદનો ક્ષય કરે, સ્ત્રીવેદના ક્ષય સાથે જ પુરુષવેદનો બંધવિચ્છેદ થાય, પછી અવેદક છતો પુરુષવેદ અને હાસ્યાદિષકનો એક સાથે જ ક્ષય કરે છે. ત્યારપછી ક્રોધાદિનો ક્ષય કરવાનો પ્રયત્ન કરે છે. હવે અહીં પુરુષવેદે ક્ષપકશ્રેણિ માંડનાર આશ્રયી પ્રસંગાગત હકીકત કહે છે ક્રોધને વેદતા જે સમયે પુરુષવેદનો ઉદયવિચ્છેદ થાય ત્યાંથી જેટલો કાળ ક્રોધનો ઉદય રહેવાનો છે, તેટલા કાળના ત્રણ વિભાગ કરે છે. તે આ પ્રમાણે : ૧. અશ્વકર્ણકરણાદ્ધા જેની અંદર અપૂર્વ સ્પર્ધ્વક થવાની ક્રિયા થાય છે. ૨. કિટ્ટિકરણાદ્ધા. જેની અંદર કિઠ્ઠિઓ થાય છે. કિટ્ટિવૈદનાદ્ધા. જે કાળમાં કરેલી કિઠ્ઠિઓ વેદાય છે. અશ્વકર્ણકરણાદ્ધામાં વર્તમાન આત્મા સંજવલન ક્રોધાદિ ચારેની અંતરકરણ ઉપરની મોટી સ્થિતિમાં અનંતા અપૂર્વ પદ્ધકો કરે છે. આ કાળમાં વર્તમાન પુરુષવેદને પણ સમયગૂન બે આવલિકા કાળે ગુણસંક્રમ વડે ક્રોધમાં સંક્રમાવતા સંક્રમાવતા ચરમસમયે સર્વસંક્રમ વડે સંક્રમાવી તેની સત્તા રહિત થાય છે. અશ્વકર્ણકરણાદ્ધા પૂર્ણ થયા પછી કિષ્ટિકરણાદ્ધામાં પ્રવેશ કરે છે. તે કાળમાં વર્તતો આત્મા સંજવલન ચારે કષાયોની દ્વિતીય સ્થિતિમાં રહેલાં દલિકોની કિઠ્ઠિઓ કરે છે. અપૂર્વ સ્પર્ધ્વક અને કિષ્ટિનું સ્વરૂપ પહેલાં આપ્યું છે તે પ્રમાણે સમજવું. જે કિઠ્ઠિઓ થાય છે તે પરમાર્થથી તો અનંત છે, તોપણ દરેક કષાયની ત્રણ ત્રણ કલ્પીને સ્કૂલ જાતિભેદની અપેક્ષાએ બાર કિઠ્ઠિઓ કલ્પી છે.' ક્રિોધના ઉદયે શ્રેણિના આરંભનાર આશ્રયી આ પ્રમાણે સમજવું. જ્યારે માનના ઉદયે શ્રેણિનો આરંભ કરે ત્યારે, સ્ત્રીવેદ કે નપુંસકવેદને ઉદય શ્રેણિ આરંભનાર જે રીતે પુરુષવેદનો ક્ષય કરે, તે રીતે ઉઠ્ઠલન વિધિથી ક્રોધનો ક્ષય કરે છે. ક્રોધનો ક્ષય થયો એટલે શેષ માનાદિ ત્રણની પૂર્વક્રમે નવ કિઠ્ઠિઓ કરે છે. માયાના ઉદયે શ્રેણિ સ્વીકારે તો ક્રોધ અને માનનો ઉકલન વિધિથી ક્ષય કરે, એટલે શેષ માયા અને લોભની પૂર્વક્રમે
. ૧. ક્રોધાદિ દરેકની અનંતી કિઠ્ઠિઓ છતાં એક એકની ત્રણ ત્રણ કલ્પી અહીં બાર કિઠ્ઠિઓ કલ્પી છે. તે એવી રીતે કે જઘન્ય રસવાળી કિટ્ટિથી ચડતા રડતા રસવાળી કેટલીક કિઠ્ઠિઓ પહેલીમાં, ત્યાંથી ચડતા ચડતા રસવાળી કેટલીક બીજીમાં, ત્યાંથી છેલ્લી કિષ્ટિ સુધીની કિઠ્ઠિઓ ત્રીજીમાં—આ પ્રમાણે બધી કિઠ્ઠિઓને ત્રણ વિભાગમાં વહેંચી નાંખે છે. તેથી વધારે રસવાળી કિક્રિઓનો વિભાગ પહેલો ઉદયમાં આવે. અલ્પ અલ્પ રસવાળી કિક્રિઓનો વિભાગ પછી પછી ઉદયમાં આવે, કારણ કે ઉત્તરોત્તર આત્મા વિશુદ્ધ પરિણામી હોય છે, એમ લાગે છે.