________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પ્રથમ વ્યાખ્યાનમ્
જ
કાર્તિક શેઠની કથા પૃથ્વીભૂષણ નગરમાં પ્રજાપાલ નામે રાજા હતો. તે નગરમાં રાજાને માનનીય, સમૃદ્ધિશાલી, સમ્યક્તધારી, પરમ શ્રાવક કાર્તિક નામે શેઠ રહેતો હતો. તેણે શ્રાવકની પાંચમી પડિમા સો વખત વહી હતી, તેથી તેનું નામ “શતક્રતુ' એ પ્રમાણે પ્રસિદ્ધ થયું. એક વખત તે નગરમાં એક માસનો ઉપવાસી ઐરિક નામે તાપસ આવ્યો, ત્યારે એક કાર્તિક શેઠ વિના બધા લોકો તેના ભક્ત થયા. એ વાતની ઐરિક તાપસને ખબર પડવાથી તે કાર્તિક શેઠ પર ગુસ્સે થયો. એક દિવસ રાજાએ તે તાપસને ભોજન માટે નિમંત્રણ કર્યું, ત્યારે તે કહેવા લાગ્યો કે - “જો કાર્તિક શેઠ મને પીરસે તો હું તારે ઘેર ભોજન કરું. રાજાએ તે વાત કબૂલ રાખીને કાર્તિક શેઠને બોલાવ્યો, અને કહ્યું કે - “તું મારે ઘેર આવી ઐરિકને જમાડ'. કાર્તિક શેઠે કહ્યું કે - “હે રાજનું! હું તમારી આજ્ઞાથી તમારે ઘેર આવી તેને જમાડીશ'. હવે કાર્તિકશેઠ તે તાપસને પોતાને હાથે પીરસી જમાડતો હતો, તે વખતે તાપસ ભોજન કરતાં કરતાં “મેં તારું નાક કાપ્યું !” એમ સૂચવવા માટે આંગળી વડે પોતાના નાકને સ્પર્શ કરતો છતો ચેષ્ટા કરવા લાગ્યો !. શેઠે વિચાર્યું કે - “મેં પહેલેથી દીક્ષા છે લીધી હોત તો મને આવો પરાભવ સહન કરવો ન પડત'. એમ વિચારી ઘરે આવી તેણે એક હજાર ને આઠ વણિકપુત્રો સાથે શ્રીમુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લીધી. અનુક્રમે દ્વાદશાંગી ભણી, બાર વરસ સુધી ચારિત્ર
For Private and Personal Use Only