________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
અગ્નિહોત્ર હોમ કરવો. અર્થાત્ - જે કોઈ સ્વર્ગનો અર્થી હોય તેણે આખી જીંદગી સુધી પણ અગ્નિહોત્ર IS A કરવો, અને જે કોઈ મોક્ષનો અર્થી હોય તેણે અગ્નિહોત્ર છોડીને મોક્ષસાધક ક્રિયા પણ કરવી; પણ દરેક | પ્રાણીએ અગ્નિહોત્ર જ કરવો, એવો નિયમ નથી, આ પ્રમાણે “અપિ” શબ્દનો અર્થ છે. તાત્પર્ય એ છે કે – જેને ફક્ત સ્વર્ગની ઇચ્છા હોય તેણે તો આખી જિંદગી સુધી અગ્નિહોત્ર કરવો, પણ જે મહાત્મા મોક્ષનો અર્થી હોય તેણે તો અગ્નિહોત્ર ન કરતાં મોક્ષસાધક ક્રિયા કરવી. આ પ્રમાણે તે વેદપદોનો અર્થ હોવાથી
જવાથી હિં મોક્ષસાધક ક્રિયાનો પણ કાળ કહ્યો જ છે, માટે મોક્ષ છે. શુદ્ધ જ્ઞાન દર્શન અને ચારિત્ર વડે કર્મનો ક્ષય થાય છે, અને આત્મા થકી સમગ્ર કર્મનો ક્ષય થવો એ મોક્ષ છે.”
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી પ્રભાસનો સંશય દૂર થયો. તેમને નિર્ણય થયો કે મોક્ષ છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ એકાદશો ગણધર:/૧૧/
આવી રીતે ગૌતમ ગોત્રના શ્રીઇન્દ્રભૂતિથી માંડીને પ્રભાસ પર્યત અગીયાર જણાએ પોતાના ચુમ્માલીસસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. તે મુખ્ય અગીયાર જણાએ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય, એટલે દરેક પદાર્થો ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને દ્રવ્યરૂપે નિત્ય છે, એ પ્રમાણે પ્રભુ પાસેથી ત્રિપદીનું સ્વરૂપ જાણી અગીયાર અંગ અને ચૌદ પૂર્વની રચના કરી; અને પ્રભુએ તેમને ગણધર પદે સ્થાપ્યા. તેમાં ગણધરોએ દ્વાદશાંગીની રચના કર્યા બાદ પ્રભુ તેમને તેની અનુજ્ઞા કરે છે, શક્રેન્દ્રદિવ્યચૂર્ણોનો ભરેલો વજય દિવ્યસ્થાલ
૩૮૦
For Private and Personal Use Only