________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ગોr iાં નિયત્ત) ત્યાં એવી રીતે નદી ઉતરીને સર્વ દિશાઓ અને વિદિશાઓમાં એક યોજન અને નવમ એક ગાઉ ભિક્ષાચર્યાએ જવું-આવવું કહ્યું નહિ. જ્યાં જંઘાના અર્ધભાગ સુધીનું જલ હોય તે દકસંઘટ્ટ
વ્યાખ્યાનમ્ કહેવાય, નાભિ સુધીનું હોય તે લેપ, અને નાભિથી વધારે હોય તે લેપોપરિ કહેવાય. વર્ષાકાલ સિવાયના કાલમાં જયાં ત્રણ દકસંઘટ્ટ હોય ત્યાં ક્ષેત્ર હણાતું નથી, એટલે તે જલ ઉતરીને ભિક્ષાચર્યાએ જવું કહ્યું; પણ ઘણી ચાર કે તેથી વધારે દકસંઘટ્ટ હોય તો ત્યાં ક્ષેત્ર હણાય છે, એટલે ત્યાં જવું કહ્યું નહિ. વર્ષાકાલમાં જયાં સાત દકસંઘટ્ટ હોય ત્યાં ક્ષેત્ર હણાતું નથી; એટલે તે જલ ઉતરીને ભિક્ષાચર્યાએ જવું કહ્યું; પણ આઠ કે તેથી વધારે દકસંઘટ્ટ હોય તો ત્યાં ક્ષેત્ર હણાય એટલે ત્યાં જવું કહ્યું નહિ. વર્ષાકાલ સિવાયના કાલમાં જતાં ત્રણ અને પાછા આવતાં ત્રણ એવી રીતે છ દકસંઘટ્ટ સમજવા, અને વર્ષાકાલમાં જતાં સાત અને પાછા આવતાં સાત એવી રીતે ચૌદ દકસંઘટ્ટ સમજવા. લેપ અથવા લેપોપરિ તો એક પણ હોય તો તે ક્ષેત્રને હણે છે, એટલે નાભિ સુધીનું કે નાભિ ઉપરનું જલ હોય તો જવું કલ્પ જ નહિ /૧૩
(વાસાવાસં પબ્લીવિયા ભેગા પર્વ વૃત્તપુર્વ ભવ-) ચોમાસુ રહેલા સાધુઓમાં કોઈ સાધુને R. ગુરુ મહારાજે આ પ્રમાણે પહેલેથી કહ્યું હોય કે - (ા અંતે !) હે ભદન્ત ! એટલે હે કલ્યાણવંત શિષ્ય ! તું જ ગ્લાન સાધુ માટે આહારાદિ લાવીને આપજે. ( જે પૂરુ સાવિત્ત) એવી રીતે ગુરુ મહારાજે કહ્યું છતે
૫૭૮
કર
કારને
For Private and Personal Use Only