________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
#C
www.kobatirth.org
નાનો મોટાને ન ખમાવે તો શું કરવું ? તે કહે છે - (રા િવિ સેનૢ આભિજ્ઞા) મોટો પણ નાનાને ખમાવે. (અમિયનું અમાનિયન) સાધુએ પોતે ખમવું, અને બીજાને ખમાવવું (વસમિયાં વસમાવિયત્ન) પોતે ઉપશાંત થવું, અને બીજાને ઉપશાંત કરવો, (સમુસંપુચ્છળ વત્તુભેળ ઢોયવં) રાગ-દ્વેષ રહિત જે બુદ્ધિ તે સુમતિ, તે સુમતિપૂર્વક સૂત્રાર્થ સંબંધી પૂછપરછ વિશેષપ્રકારે કરવી, અથવા સુખશાતા પૂછવી; તાત્પર્ય કે - જેની સાથે ક્લેશ થયો હોય તેની સાથે નિર્મલ ચિત્તથી વાતચીત કરવી. હવે કલહ કરનાર બેમાંથી જો એક ખમાવે અને
બીજો ન ખમાવે તો શું સમજવું ? તે કહે છે - (ગો વસમર્ તફ્સ અસ્થિ આરાદળા) જે ઉપશાંત થાય છે તેને આરાધના છે, (નો ન વસમર્ તફ્સ નયિ ઞાદળ) અને જે ઉપશાંત થતો નથી - ખમાવતો નથી તેને આરાધના નથી. (તા ઝળળા ચેવ વસમિયવં) તેથી પ્રભુની આજ્ઞાની આરાધના ઇચ્છનાર સાધુએ પોતે તો ઉપશાંત થવું જ. શિષ્ય પૂછે છે કે - (સે વિષ્માદુ મંતે ?) હે ભગવાન્ ! એમ આપ કેમ કહો છો ?, એટલે બીજો ઉપશાંત ન થાય છતાં પોતે તો ઉપશાંત થવું જ, તેનું શું કારણ ? ગુરુમહારાજ ઉત્તર આપે છે કે - (વસમસાર જી સામાં) ઉપશમપ્રધાન જ શ્રામણ્ય એટલે સાધુપણું છે, અર્થાત્ સાધુપણાનો સાર ઉપશમ જ છે. અહીં એક જણના આરાધકપણાનું દૃષ્ટાંત કહે છે –
સિંધુ અને સૌવીર દેશનો સ્વામી તથા મહસેનાદિ દસ મુગુટબદ્ધ રાજાઓથી સેવાતો એવો ઉદયન નામે
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવમં
વ્યાખ્યાનમ્
૬૨૬