________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે કઈ
કલ્પસૂત્ર ભાષાંતર
III
(વાસાવા પmોવિશાળ નિથાન કા નિથાળ વા) ચોમાસું રહેલા સાધુઓ અથવા સાધ્વીઓને નવમું (ગજ્જર ફિક્ષિ વા નિિ વા વાય ગાય મત્ત-પા સિત્ત) પૂર્વાદિ કોઈ પણ હીરા વ્યાખ્યાનમ્ દિશાને અથવા અગ્નિ-નૈઋત્યાદિ વિદિશાને ઉદ્દેશીને-કહીને ભાત-પાણીની ગવેષણા કરવી કલ્પે છે. એટલે- | ચોમાસું રહેલા સાધુ-સાધ્વી ભાત-પાણીની ગવેષણા કરવા જાય ત્યારે હું અમુક દિશામાં અથવા વિદિશામાં પડ્યાં જાઉં છું' એમ ઉપાશ્રયમાં રહેલા બીજા સાધુ-સાધ્વીને કહીને જાય. શિષ્ય પૂછે છે કે – (સે વિમાદુ મં?) હે ભગવાન ! આપ એમ શા કારણથી કહો છો?, એટલે બીજા સાધુઓને કહીને ભાત-પાણી માટે જવું કહ્યું | એનું શું કારણ? ગુરુ મહારાજ ઉત્તર આપે છે કે - (ગોસાઇ સમ માવંતો વાસાસુ તવસંપત્તા મત્તિ) વર્ષાકાલમાં પ્રાયે કરીને શ્રમણ ભગવંતો છઠ પ્રમુખ તપસ્યા કરનારા હોય છે, (તવરસી તુવન્ને વિનંતે | મુળ વા પન્ન વા) તે તપસ્વીઓ તપસ્યાને લીધે દુર્બલશરીર વાલા અને તેથી જ ચાલતાં ચાલતાં થાકી ગયા છતા રસ્તામાં કદાચ મૂચ્છ પામે અથવા કોઈ ઠેકાણે પડી જાય; અને તેથી વખતસર ઉપાશ્રયે ન કર, આવ્યા હોય તો (તાવ લિસિ વા વિસિં વા સમયમાં ભગવંતો હિનામર7િ) ઉપાશ્રયમાં રહેલાં શ્રમણ ભગવંતો તે જ દિશામાં અથવા વિદિશામાં જઈ તેની શોધ કરે, અને ઉપાશ્રયે લાવીને તેની સારવાર કરે. પણ જો ઉપાશ્રયમાં રહેલા સાધુઓને કહ્યા વિના ગયા હોય તો તેઓ ક્યાં શોધ કરે? માટે બીજા સાધુઓને કહીને ભાત-પાણી માટે જવું (૨૬) li૬૧||
૬૩૧
For Private and Personal Use Only