________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નવમ વ્યાખ્યાનનું
e
નહિ. જમીનનું તળીયું મણિ કે પત્થરથી બાંધેલ હોય, અથવા છોબંધ હોય, તો પણ વર્ષાકાલમાં સાધુસાધ્વીએ પાટ અને પાટલો અવશ્ય રાખવો, અને તે ઉપર સૂવું-બેસવું. કેમકે-ચોમાસામાં જમીન ઉપર સંથારો પાથરીને સૂવાથી તથા આસન પાથરી બેસવાથી કુથુવા પ્રમુખ જીવોની વિરાધના, પોતાને શરીરે | અજીર્ણ, શરદી વિગેરે રોગ, અને અપકાયનો વધ વિગેરે દોષ લાગે.
(૩યામે) તેથી ચોમાસામાં સાધુ-સાધ્વીએ પાટ-પાટલો ન રાખવો એ કર્મબંધનું અથવા દોષોનું કારણ છે. સૂત્રકાર એ જ બાબત દૃઢ કરે છે - (મિહિસાસળિયસ) જેણે પાટ અને પાટલો ગ્રહણ કરેલ નથી એવા સાધુને, (૩yવારસ) વળી ગ્રહણ કરેલી પાટ એક હાથ જેટલી અથવા તેથી સહેજ ઊંચી હોવી જોઈએ; જેથી કીડી પ્રમુખ જીવોનો વધ ન થાય, અથવા સર્પાદિન ડસી જાય. વળી તે પાટ હાલચાલે નહિ એવી-નિશ્ચલ હોવી જોઈએ, એટલે પાટની કાઠીઓ બંધનથી મજબૂત બાંધવી જોઈએ, જેથી જરા પણ હાલચાલે નહિ કેમકે ઢીલું બંધન હોય તો તેમાં ભરાઈ રહેલ માંકડ-કુંથુવાદિને સંઘર્ષ થવાથી તેઓનો વિનાશ થાય; આવા પ્રકારની ઉંચી અને નિશ્ચલ પાટ જેને નથી, એટલે નીચી અને હાલતા-ચાલતી પાટ જેને છે એવા સાધુને; ઉદ્ઘiધરસ) તે પાટની કાઠીઓ પખવાડીયામાં એક વખત બાંધવી, પણ પ્રયોજન વગર બે ત્રણ કે ચાર વાર બાંધવાથી સ્વાધ્યાય-ધર્મધ્યાનાદિમાં વ્યાઘાત થાય; વળી પાટ માટે ચંપા
૬૧૭
૬૧૭
For Private and Personal Use Only