________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Iિ
કલ્પસૂત્ર ભાષાંતર
સપ્તમ વ્યાખ્યાનમુ.
ત્યાર પછી સત્યભામા બોલી કે – “ઋષભદેવ વિગેરે તીર્થકરોએ વિવાહ કર્યો હતો, રાજ્ય અમલ ચલાવ્યો હતો, વિષયો ભોગવ્યા હતા, તેમને ઘણા પુત્રો થયા હતા, અને તેઓ છેવટે મોક્ષે પણ ગયા છે; [ પણ તમે તો આજ કોઈ નવા મોક્ષગામી થયા છો ! હે અરિષ્ટનેમિ! ખૂબ વિચાર કરો, હે દિયર ! મનોહર ગૃહસ્થપણાને જાણો, અને લગ્ન કરી બાંધવોનાં મનને સ્વસ્થ કરો. તમે યોગ્ય સમયે ઇચ્છાનુસાર ખુશીથી બ્રહ્મચર્ય પાળજો, પણ અત્યારે અપ્રતિમ રૂપલાવણ્યથી ખીલી ઉઠેલા આ તમારા નવયૌવનને અરણ્યના પુષ્પની જેમ નિષ્ફળ ન ગુમાવો”.
જાંબુવતીએ કહ્યું કે – “હે કુમાર ! સાંભળો; અને અમારા કથનને ધ્યાનમાં લ્યો. પહેલાં તમારા જ વંશમાં વિભૂષણ સમાન એવા મુનિસુવ્રત નામના તીર્થંકર થઈ ગયા છે, તેઓ પણ ગૃહસ્થવાસમાં રહી પુત્ર ઉત્પન્ન થયા પછી મોક્ષે ગયા છે. માટે તે દિયર ! તમે પણ વિવાહ કરો, અને ગૃહસ્થવાસ ભોગવ્યા પછી ઇચ્છા મુજબ કરજો”.
પદ્માવતીએ કહ્યું કે - “ખરેખર આ જગતમાં સ્ત્રી વગરના પુરુષની કાંઈ શોભા નથી, અરે ! વાંઢા પુરુષનો કોઈ વિશ્વાસ પણ કરતું નથી, સ્ત્રી વિનાનો પુરુષ ધૂર્ત ગણાય છે; માટે દિયર ! કાંઈ સમજો, અને લગ્ન કરવાની અનુમતિ આપો”.
ગાંધારી બોલી કે – “હે કુમાર ! ઘેર પધારેલાં સગાં-સંબંધીઓની પરોણાગાત, ઉત્તમ માણસોનો
૪૩૧
For Private and Personal Use Only