________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobabirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
નેમિકુમાર સિવાય બીજો ભર્તાર નહિ જ કરું. હે સખીઓ ! હું મન અને વચનથી તેમને વરી ચુકી છું. વળી ! સપ્તમ તે રાજીમતી શ્રીનેમિનાથને કહેવા લાગી કે - હે જગતના અધીશ ! આપ ઘરે આવેલા વાચકોને તેઓની વિ. વ્યાખ્યાનમ્ ઇચ્છા ઉપરાંત આપો છો, પણ તે સ્વામી, પ્રાર્થના કરતી એવી મેં તો મારા હસ્ત ઉપર આપનો હસ્ત પણ ન મેળવ્યો. હવે વિરક્ત થયેલી રાજીમતી બોલી કે – સૈલોક્ય શ્રેષ્ઠ એવા શ્રીનેમિકુમારનો હસ્ત લગ્નમહોત્સવમાં તો મારા હસ્ત પર આવ્યો નહિ, તો પણ મારા દીક્ષા મહોત્સવ સમયે તો તેમનો હસ્ત વાસક્ષેપ કરવા વડે મારા મસ્તક પર અવશ્ય થશે. હવે પરિવાર સહિત સમુદ્રવિજય રાજા નેમિકુમારને કહેવા લાગ્યા કે હે વત્સ! એવો કોઈ નિશ્ચયવાદ નથી કે ન પરણેલા જ મોક્ષે જાય, કેમકે પૂર્વે થઈ ગયેલા ઋષભદેવાદિ તીર્થકરો પણ વિવાહ કરી ભોગ ભોગવીને પછી દીક્ષા સ્વીકારી મોક્ષે ગયા છે; તો હે કુમાર ! તમારું બ્રહ્મચારીનું શું તેઓ કરતાં પણ પણ ઉંચું પદ થશે? શું પરણેલા મોક્ષે જતા નથી? માટે હે પિતૃવલ્લભ! અત્યારે વિવાહ કરી અમારા મનોરથ પૂરા કર. તે સાંભળી નેમિનાથ પ્રભુ બોલ્યા કે – “હે તાત ! ઋષભદેવાદિ તીર્થકરોને ભોગાવલી કર્મો કરે ભોગવવા માટે વિવાહ કરવો પડ્યો હતો, પણ મારાં ભોગાવલી કર્મો ક્ષીણ થયાં છે. વળી તે પિતાજી ! | અનંતા જંતુઓનો સંહાર કરનારા અને સંસારને દુઃખરૂપ કરનારા એવા એક સ્ત્રીના સંગ્રહવાલા વિવાહ IR માટે આપ શા માટે આગ્રહ કરો છો”? અહીં કવિ ઉસ્નેક્ષા કરે છે કે -
૪૪૧
For Private and Personal Use Only