________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
TCH
www.kobatirth.org
વરસ વ્યતીત થતાં કલ્પસૂત્રની વાચના સભા સમક્ષ શરૂ થઈ; અને કોઈ પુસ્તકમાં લખ્યું છે કે - નવસો ત્રાણું વરસ વ્યતીત થતાં કલ્પસૂત્રની વાચના સભા સમક્ષ શરૂ થઈ.”
વળી કેટલાક આ સૂત્રપાઠનો અર્થ આવી રીતે કરે છે -
“આ સૂત્રમાં બે વાક્યો છે; એક કલ્પસૂત્ર લખાયાનો સમય જણાવે છે, અને બીજું વાક્ય સભાસમક્ષ કલ્પસૂત્ર વંચાયાનો સમય સૂચવે છે. તે આ પ્રમાણે-શ્રીવીરનિર્વાણથી નવસો એંશીમો સંવત્સરકાલ જાય છે, એટલે કલ્પસૂત્ર લખવાનો હેતુભૂત એવો નવસો અંશીમો સંવત્સર કાલ જાય છે; આ વાક્યથી કલ્પસૂત્રને લખવારૂપ વાચનાનો સમય જણાવ્યો. વળી વાચનાંતરમાં એટલે કલ્પસૂત્રને લખવારૂપ વાચનાથી સભાસમક્ષ વાંચવા રૂપ બીજી વાચનામાં નવસો ત્રાણુમો સંવત્સર કાલ જાય છે; આ વાક્યથી કલ્પસૂત્રને સભાસમક્ષ વાંચવારૂપ વાચવાનો સમય જણાવ્યો. તાત્પર્ય કે – શ્રીવીરનિર્વાણથી નવસો અંસીમે વરસે કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું એટલે પુસ્તક પરલખાયું, અને નવસો ત્રાણુંમા વરસે સભાસમક્ષ વંચાયું”. આવી રીતે જુદા જુદા આચાર્યોના ભિન્ન ભિન્ન મત છે, તત્ત્વ કેવલિભગવાન્ જાણે ૧૪૮॥ ઇતિ શ્રીવીરચરિત્રમ્ II
“રિમ-રિમાળ દળો, મંગલં વજ્રમાળતિમ્મિ । રૂદ પરિવત્તિ નિળ-મળ-દાઘેરાવની વસ્તિ શા” ।। કૃતિ વર્ણ વ્યાવ્યાનામ્ |
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને કે લિયે કી C
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૪૦૩