________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Fશ.
કલ્પસૂત્ર ભાષાંતર
ધિall
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી વ્યક્તિને પાંચ ભૂતોનો જે સંશય હતો તે નષ્ટ થયો. તેમને નિર્ણય ષષ્ઠ ફિલ કર્યો કે પાંચ ભૂતો છે. સંશય નષ્ટ થતાં વ્યક્તિ પોતાના પાંચસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. છે. વ્યાખ્યાનમ્
| ઇતિ ચતુર્થો ગણધર: //૪ આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે ચારે જણને દીક્ષિત થયેલા સાંભળી પાંચમા સુધર્મા નામના પંડિતે વિચાર્યું કે “જેના ઇન્દ્રભૂતિ વિગેરે ચારે જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય છે; માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું”. આ પ્રમાણે વિચારી સુધર્મા પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે – “હે સુધર્મા
તને એવો સંશય છે કે “જે પ્રાણી જેવો આ ભવમાં હોય તેવો જ પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે ?' આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે -
પુરુષો જે પુરુષત્વમનુ, જશવ: પશુત્વમ્ ” ઈત્યાદિ વેદપદોથી તું જાણે છે કે - “જે પ્રાણી જેવો આ ભવમાં હોય છે તેવો જ પરભવમાં થાય છે. તેઓનો અર્થ તુ આ પ્રમાણે કરે છે – (પુરુષો વૈ પુરુષત્વમનુ) પુરુષ મરી પરભવમાં પુરુષપણાને પામે છે, (જશવ: જશુત્વમ) ગાય વિગેરે પશુઓ મરી પરભવમાં પશુપણાને પામે છે. અર્થાત્ - મનુષ્ય મરીને પાછો
૩૬૪
For Private and Personal Use Only