________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandit VAN
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
નારકીઓને જેવું તીવ્ર દુઃખ કહ્યું છે તેવું દુઃખ તિર્યંચ અને મનુષ્ય ભવમાં હોતું નથી ઉત્કૃષ્ટ પાપનું ફળ તો તીવ્ર અને નિરંતર દુઃખ ભોગવવાનું હોય છે માટે માનવું જોઈએ કે ઉત્કૃષ્ટ પાપ કરનારો પ્રાણી મરીને નારકી થઈ તીવ્ર અને નિરંતર એવાં દુઃખો ભોગવે છે”.
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી અકંપિતને જે સંશય હતો તે નષ્ટ થયો. તેમને નિર્ણય થયો કે નારકી છે. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ અમો ગણધર://૮
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે આઠ જણને દીક્ષિત થેયલા સાંભળી નવમા અચલભ્રાતા નામના પંડિત વિચાર્યું કે - “જેના ઇન્દ્રભૂતિ વિગેરે આઠ જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજય જ છે; માટે હું પણ તેમની પાસે જાઉં અને મારો સંશય દૂર કરું” આ પ્રમાણે વિચારી અચલભ્રાતા પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે - “હે અચલભ્રાતા ! તને એવો સંશય છે કે, પુણ્ય અને પાપ છે કે નહિ?” નો આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદ પદોથી થયો છે -
“પુરુષ પર નિ સર્વ ય મૂત મારા ” “ઉપરના વેદપદોથી તું જાણે છે કે પુણ્ય-પાપ નથી. તે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે - આ છે પ્રત્યક્ષ જણાતું ચેતન-અચેતન સ્વરૂપ જે થશે તે સર્વ પુરુષ જ એટલે આત્મા જ છે; અર્થાતુ આત્મા સિવાય
૩૭૪
O
For Private and Personal Use Only