________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
WOHN
www.kobatirth.org
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી મંડિતને જે સંશય હતો તે નષ્ટ થયો. સંશય નષ્ટ થતાં તેમણે પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે તે જ વખતે પ્રભુ પાસે દીક્ષા લીધી. ઇતિ ષષ્ઠો ગણધરઃ ॥૬॥
આવી રીતે ઇન્દ્રભૂતિ વિગેરે છએ જણને દિક્ષીત થયેલા સાંભળી સાતમા મૌર્યપુત્ર નામના પંડિતે વિચાર્યું કે ‘જેના ઇન્દ્રભૂતિ વિગેરે છએ જણ શિષ્ય થયા, તે મારે પણ પૂજ્ય જ છે; માટે હું પણ તેમની પાસે જાઉં, અને મારો સંશય દૂર કરું. આ પ્રમાણે વિચારી મૌર્યપુત્ર પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે આવ્યો. પ્રભુએ તેને કહ્યું કે - “હે મૌર્યપુત્ર ! તને એવો સંશય છે કે – દેવો છે કે નહિ ?” આ સંશય તને પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થયો છે –
“को जानाति मायोपमान् गीर्वाणान् इन्द्र-यम- वरुण-कुबेरादीन् ।”
“ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે દેવ નથી તે વેદપદોનો અર્થ તું આ પ્રમાણે કરે છે - ઇન્દ્ર યમ વરુણ અને કુબેર વિગેરે માયાસદેશ દેવોને કોણ જાણે છે ? અર્થાત્ ઇન્દ્રાદિ દેવો માયારૂપ છે, જેમ માયા-ઇન્દ્રજાલ વસ્તુગતે કાંઈ હોતું નથી. તેમ દેવો પણ વસ્તુગતે કાંઈ નથી. વળી તું વિચારે છે કે – નારકીઓ તો પરતંત્ર અને દુઃખથી વિહ્વળ હોવાથી અહીં આવી સકતા નથી; તેથી તેઓને પ્રત્યક્ષ દેખવાનો કોઈ પણ ઉપાય ન હોવાથી શાસ્ત્રોમાં કહેવા મુજબ ‘નારકીઓ છે' એમ શ્રદ્ધા રાખવી જોઈએ. પણ દેવો તો સ્વતંત્ર અને પ્રભાવશાળી હોવાથી અહીં આવવાને સમર્થ છે, છતાં તે દેવો દ્રષ્ટિગોચર ન થતા હોવાથી જણાય છે કે દેવો
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11
ખં વ્યાખ્યાનમ્
૩૭૦