________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
પંચમ વ્યાખ્યાનમ્
જગતના નાયક અને સકલ શાસ્ત્રોના પારગામી એવા શ્રીવીરજિનેશ્વર સમજવા.” ઇત્યાદિ પ્રકારે શ્રીવર્ધમાન કુમારની સ્તુતિ કરી ઇન્દ્ર પોતાને સ્થાને ગયો, ભગવાનું પણ જ્ઞાતકુલના સકલ ક્ષત્રિયોથી પરિવરેલા પોતાને ઘેર આવ્યા.
આવી રીતે બાલ્યાવસ્થા ગયા બાદ પ્રભુ અનુક્રમે યૌવન અવસ્થા પામ્યા, ત્યારે માતા-પિતાએ તેમને ઉમ્મર લાયક અને ભોગસમર્થ જાણી શુભ તિથિ, નક્ષત્ર અને મુહૂર્તમાં સમરવીર નામે રાજાની યશોદા નામની કન્યા સાથે પરણાવ્યા. યશોદા સાથે સાંસારિક સુખ ભોગવતા પ્રભુને પ્રિયદર્શના નામે પુત્રી થઈ. પ્રિયદર્શનાને પોતાના ભાણેજ જમાલિ સાથે પરણાવી, તેણીને શેષવતી નામે પુત્રી થઈ.
હવે ભગવાનના પરિવારનાં નામ પોતે વર્ણવે છે – | (સમરસ જે માવો મહાવીરરસ પિયા વાસવગુત્તે ) શ્રમણ ભગવાન્ મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા, (તસ ને તો નામ ગા) તેમનાં ત્રણ નામ (વમન્નિત્તિ) પ્રસિદ્ધ થયાં છે; (ત નહીં-) તે આ પ્રમાણે - (સિક્રત્યે રુ વા) સિદ્ધાર્થ, (
સિસે રૂ વા) શ્રેયાંસ, (સંસે રૂ વા) અને યશસ્વી. (સમરસ vi માવો મહાવીરરસ માથ) શ્રમણ ભગવાનું મહાવીરની માતા (વાસિ ગુ) વાશિષ્ઠ ગોત્રનાં હતાં, (તી? તો નાધિજ્ઞા પ્રમાહિત્તિ) તેમનાં ત્રણ નામ પ્રસિદ્ધ થયાં છે; (તે ગહ-) તે આ પ્રમાણે -
૨૪૪
For Private and Personal Use Only