________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
અને વાયુભૂતિ નામના ત્રણ ભાઈઓ પાંચસો પાંચસો શિષ્યોના પરિવારયુક્ત આવ્યા હતા, વ્યક્ત અને સુધર્મા બે પંડિતો પાંચસો પાંચસો શિષ્યોના પરિવાર યુક્ત આવ્યા હતા, મંડિત અને મૌર્યપુત્ર નામા બે ભાઈઓ પ્રત્યેક સાડા ત્રણસો શિષ્યોના પરિવારયુક્ત આવ્યા હતા. અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ નામના ચાર પંડિતો ત્રણસો ત્રણસો શિષ્યોના પરિવાર યુક્ત આવ્યા હતા આ અગીયારે પંડિતોમાં ઇન્દ્રભૂતિને ‘જીવ છે કે નહિ ?’ અગ્નિભૂતિને ‘કર્મ છે કે નહિ ?’ ૨, વાયુભૂતિને ‘શરીર એ જ જીવ છે કે શરીરથી ભિન્ન જીવ છે ?’ ૩, વ્યક્તને ‘પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂત છે કે નહિ ?' ૪, સુધર્માને ‘આ જીવ જેવો આ ભવમાં હોય છે તેવો જ પરભવમાં થાય છે કે ભિન્ન સ્વરૂપે થાય છે ?’ ૫, મંડિતને ‘આ જીવને કર્મનો બંધ અને કર્મથી મુક્તિ છે કે નહિ ?' ૬, મૌર્યપુત્રને ‘દેવો છે કે નહિ ?’ ૭, અકંપિતને ‘નારકી છે કે નહિ !' ૮, અચલભ્રાતાને ‘પુણ્ય અને પાપ છે કે નહિ !’ ૯, મેતાર્યને ‘પરલોક છે કે નહિ !' ૧૦, અને પ્રભાસને ‘મોક્ષ છે કે નહિ ?’ એવો સંશય હતો ૧૧. આવી રીતે તે અગિયારે પંડિતોને એક એક વિષયનો સંશય હોવા છતાં પોતે સર્વજ્ઞ હોવાનું ખોટું અભિમાન ધરાવતા હતા, તેઓ પોતાના સર્વજ્ઞપણાના અભિમાની ક્ષતિના ભયથી પોતપોતાના સંદેહ વિષે માંહોમાંહે પૂછતા નહોતા આ પ્રમાણે તે અગીયારે પંડિતો તથા તેમના ચુમ્માલીસસો શિષ્યો યજ્ઞમંડપમાં આવ્યા હતા; તે સિવાય શંકર, ઈશ્વર, શિવજી, ગંગાધર, વિષ્ણુ, ગોવિંદ, પુરુષોત્તમ, નારાયણ, જયદેવ, મહાદેવ, હરિહર, રામજી, મધુસૂદન, નરસિંહ, શિવરામ વિગેરે ઘણા બ્રાહ્મણો યજ્ઞમંડપમાં એઠા થયા હતા.
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
વ્યાખ્યાનમ્
૩૩૭