________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kebabirlh.org
દયા એ ત્રણ દકા૨ને જે જાણે છે તે જીવ છે'. આ વેદવાક્યોથી પણ આત્મા છે એમ સિદ્ધ થાય છે. વળી તું જે માને છે કે ‘ઘી દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો વાપરી પુષ્ટ બનેલા શરીરનું ચૈતન્ય સતેજ અનુભવાતું હોવાથી, ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે'. આ પણ તારું માનવું ઠીક નથી, કારણ કે - એ વખતે પુષ્ટ થયેલું શરીર ચૈતન્યનું સહાયક બને છે, પણ શરીર માત્ર સહાયક થવાથી તે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ માની શકાય નહિ. જેમ અગ્નિ વડે સુવર્ણ પીગળે છે તે પીગળવામાં અગ્નિ સહાયકારી છે; પણ એથી એમ તો ન જ કહેવાય કે અગ્નિમાંથી દ્રવ્યતા ઉત્પન્ન થઈ, પરંતુ એમ જ મનાય છે કે સુવર્ણમાંથી દ્રવ્યતા ઉત્પન્ન થઈ, અને તેથી તે દ્રવ્યતાધર્મ સુવર્ણનો છે; તેમ ચૈતન્ય સતેજ થવામાં પુષ્ટ શરીર સહાયકારી થયું હોય, તેથી એમ ન જ કહેવાય કે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થયું પરંતુ ચૈતન્ય આત્મા થકી જ થાય છે. અને તેથી તે આત્માનો ધર્મ છે. વળી ઘણા માણસો પુષ્ટ શરીરવાળા હોવા છતાં તેમનું જ્ઞાન થોડું હોય છે. અને ઘણા કૃશ શરીરવાળા હોવા છતાં તેમનું જ્ઞાન ઘણું અનુભવીએ છીએ; તેથી પુષ્ટ શરીરવાળાને ઘણું જ્ઞાન હોય છે એવો નિયમ ક્યાં રહ્યો ?, અને જ્યારે નિયમ રહ્યો નહિ ત્યારે શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ કેવી રીતે મનાય ? વળી શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થતું હોય તો મૃત્યુ પછી પણ શરીર તો છે, તો તે મુડદાને ચૈતન્ય કેમ થતું નથી ? વળી જેનો વિકાર થતાં જેનો વિકાર થાય તેનું તે કાર્ય કહેવાય, એટલે તેમાંથી તે ઉત્પન્ન થયું કહેવાય. જેમ સફેદ તાંતણાથી બનેલા વસ્ત્રને લાલ રંગથી રંગીએ, તે વખતે તે તાંતણા
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ વ્યાખ્યાનમ્
૩૫૩