________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર
ભાષાંતર
વ્યાખ્યાનનું
Il||
જે આત્માને ધીર અને સંયમી સાધુઓ દેખે છે. આ વેદપદોથી જણાય છે કે આત્મા શરીરથી ભિન્ન છે. આ પ્રમાણે તને પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદપદોથી સંશય થયો છે કે “શરીર એ જ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા છે?” પરંતુ તે વાયુભૂતિ ! તારો આ સંશય અયુક્ત છે, કેમકે- ‘વિજ્ઞાનઘન,’ એ વેદવાક્યનો અર્થ છે તું સમજયો નથી, પણ એ વાક્યનો અર્થ આ પ્રમાણે છે; સાંભળ -
(વિજ્ઞાનધન 4) જે વિશિષ્ટ જ્ઞાન એટલે જ્ઞાન-દર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાનના સમુદાય રૂપ જ આત્મા (મ્યો ભૂતેશ્ય: સમુત્યાય) શેયપણે એટલે જાણવાયોગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વિગેરે ભૂતો અથવા ઘટ પટ વિગેરે ભૂતોના વિકારો થકી “આ પૃથ્વી છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે, ઇત્યાદિ તે તે ભૂતોના ઉપયોગરૂપે ઉત્પન્ન થઈને, (તાન્ચેવાડનુ વિનશ્યતિ) તે ઘટ વિગેરે ભૂતોનો શેયપણે અભાવ થયા પછી જ આત્મા પણ તેઓના ઉપયોગરૂપે વિનાશ પામે છે, અને બીજા પદાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે, અથવા સામાન્ય સ્વરૂપે રહે છે. (ન પ્રત્યસંજ્ઞરિત) આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી, અર્થાત્ આત્માના દરેક પ્રદેશે જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપે અનંતા પર્યાયો રહેલા છે, તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત્ અભિન્ન છે એટલે વિજ્ઞાનઘન છે. જયારે ઘટપટ વિગેરે ભૂતો જોયપણે પ્રાપ્ત થયા હોય ત્યારે તે ઘટ-પટાદિરૂપ હેતુથી “આ ઘડો છે આ વસ્ત્ર છે, ઇત્યાદિ પ્રકારના ઉપયોગરૂપે આત્મા પરિણમે છે; કારણ કે આત્માને તે ઉપયોગરૂપે પરિણમવામાં તે ઘટાદિ વસ્તુનું |
For Private and Personal Use Only