________________
Shri Mahavir Jain Aradhana Kenda
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ઠ
કલ્પસૂત્ર ભાષાંતર
િ વ્યાખ્યાનમુ
__“पुरुष एवेदं ग्नि सर्वं यद् भूतं यच्च भाव्यम्" ઇત્યાદિ. ઉપરનાં વેદપદોથી તું જાણે છે કે કર્મ નથી. તેનો અર્થ તું આ પ્રમાણે કરે છે - (પુરુષ પૂરું નિ સર્વ ય મૂર્ત યગ્ન મામ) એટલે આ પ્રત્યક્ષ જણાતું ચેતન-અચેતનસ્વરૂપ જે ભૂતકાળમાં થયેલું છે, અને જે ભવિષ્યકાળમાં થવાનું છે તે સર્વ પુરુષ જ છે એટલે આત્મા જ છે અર્થાતુ આત્મા સિવાય કર્મ ઈશ્વર વિગેરે કાંઈ પણ નથી. મનુષ્ય, દેવ, તિર્યંચ, પર્વત, પૃથ્વી વિગેરે જે જે વસ્તુઓ દેખાય છે તે સર્વ આત્મા જ છે, આત્મા સિવાયની એક પણ વસ્તુ નથી. આ વચન વડે “સર્વ વસ્તુઓ આત્માની છે એમ જણાવેલું હોવાથી “કર્મ નથી' એમ તને સ્ફટ રીતે જણાય છે. તે અગ્નિભૂતિ ! વળી તું માને છે કે, ઉપર પ્રમાણે વેદપદોનો અર્થ યુક્તિથી પણ ઠીક લાગે છે; કેમકે આત્મા અમૂર્ત છે, તેને મૂર્ત એવા કર્મ વડે અનુગ્રહ અને ઉપઘાત એટલે લાભ કે હાનિ શી રીતે સંભવે? જેમ અમૂર્ત એવા ચંદનથી વિલેપન થતું નથી, તેમ શસ્ત્રથી ખંડન પણ થતું નથી; તેમ અમૂર્ત એવા આત્માને કર્મથી અનુગ્રહ કે ઉપઘાત કેમ થઈ શકે ?, માટે કર્મ નામનો પદાર્થ નથી. પણ વળી કર્મની સત્તા જણાવનારાં બીજાં વેદપદો દેખીને તથા લોકોમાં પણ કર્મની પ્રસિદ્ધિ જોઈને તું સંશયમાં પડ્યો છે કે કર્મ છે કે નથી?”
૧. નિ વાક્યોલંકારરૂપે હોવાથી તેનો કંઈ અર્થ નથી.
૩પ૬
For Private and Personal Use Only