________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિ
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમું.
પણ લાલ રંગના થઈ જાય છે; તેથી મનાય છે કે તાંતણા થકી વસ્ત્ર બન્યું. પણ શરીર અને ચૈતન્યમાં તેમ અનુભવાતું નથી, કેમકે-ગાંડા થઈ ગયેલા માણસનું ચૈતન્ય વિકાર પામેલું હોય છે, છતાં તેનું શરીર તો પ્રથમ જેવું જ હોય છે, તે શરીરમાં કાંઈ વિકાર દેખતા નથી; તો પછી શરીરમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે એમ કેવી રીતે મનાય? વળી જેની વૃદ્ધિ થાય તે થકી તે ઉત્પન્ન થયું કહેવાય. જેમ મોટી ઘણી હોય તો ઘડો મોટો થાય છે, તેથી મનાય છે કે માટીમાંથી ઘડો થાય છે; પણ શરીર અને ચૈતન્યમાં તેવું અનુભવાતું નથી, કારણ કે હજારો યોજનના શરીરવાળા માછલાંઓને જ્ઞાન ઘણું થોડું હોય છે, અને તેઓથી નાના શરીરવાળા મનુષ્યોનું જ્ઞાન તેઓથી વધારે હોય છે. આવી રીતે કોઈ પણ પ્રકારે “ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, એમ સિદ્ધ થઈ શકતું નથી. માટે માનવું જોઈએ કે, શરીર થકી જ્ઞાન ઉત્પન્ન થતું નથી, પણ શરીરથી જુદા એવા કોઈ પદાર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તે પદાર્થ આત્મા છે. હે ઇન્દ્રભૂતિ ! આ પ્રમાણે વિજ્ઞાનઘન...” ઇત્યાદિ વેદ પદોથી તથા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી “આત્મા છે' એમ નિર્ણય થાય છે. વળી –
"क्षीरे घृतं तिले तैलं, काष्ठेऽग्निः सौरभं सुमे । चन्द्रकान्ते सुधा यदत् तथात्माऽङ्गगतः पृथक् ॥१॥"
જેમ દૂધમાં ઘી, તલમાં તેલ, કાષ્ઠમાં અગ્નિ, પુષ્પમાં સુગંધી, અને ચન્દ્રકાંત મણિમાં જલ રહેલું છે; છે તેમ શરીર થકી જુદો એવો આત્મા પણ શરીરમાં રહેલો છે [૧]”
આ પ્રમાણે પ્રભુનાં વચનો સાંભળી ઇન્દ્રભૂતિને આત્માનો જે સંશય હતો તે નષ્ટ થયો, તેમને નિર્ણય
૩૫૪
For Private and Personal Use Only