________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ
વ્યાખ્યાનમુ
“अतिप्रियं बान्धव ! दर्शनं ते, सुधाञ्जनं भावि कदाऽस्मदक्ष्णो: ? ।
नीरागचित्तोऽपि कदाचिदस्मान् स्मरिष्यसि प्रौढगुणाभिराम ! ॥३॥" હે બાંધવ ! આંખોને અમૃતના અંજન સરખું અતિપ્રિય તમારું દર્શન હવે અમોને ક્યારે થશે?, હે ઉત્તમગુણોએ કરીને મનોહર ! રાગ રહિત ચિત્તવાળા પણ તમે અમોને કોઈક વખતે તો સંભારજો !”
ઇત્યાદિ ગદ્ગદ કંઠે બોલતો અને આંસુડાં પાડતો બંધવર્ગ કષ્ટથી પાછો ફરી નિસ્તેજ મુખે ઘેર ગયો.
પ્રભુને દીક્ષા મહોત્સવ વખતે ઇન્દ્રાદિ દેવોએ જે ગોશીષચંદનાદિ સુગંધમય ઉત્તમ પદાર્થોથી તથા પુષ્પોથી પૂજયા હતા, તે પદાર્થોની સુગંધી ચાર મહિનાથી પણ વધારે સમય સુધી પ્રભુના પર તેવી જ રહી હતી. આવી અલૌકિક સુગંધીને લીધે દૂરદૂરથી ખેંચાઈને આવેલા ભમરા પ્રભુને ડંખ દેવા લાગ્યા. ચારે તરફ ફેલાઈ રહેલી સુગંધીને લીધે કેટલાક જુવાનીયા ગંધયુટી માંગવા લાગ્યા, પરંતુ પ્રભુ તો મૌન રહ્યા, તેથી તેઓ ક્રોધાયમાન થઈને પ્રભુને પ્રતિકૂલ ઉપસર્ગ કરવા લાગ્યા. સ્ત્રીઓ પણ પ્રભુને અદ્ભુત સૌંદર્યવાળા અને સુગંધમય શરીરવાળા જોઈને ભોગપ્રાર્થનાદિ અનુકૂલ ઉપસર્ગો કરવા લાગી, તો પણ પ્રભુ તો મેરુની પેઠે નિશ્ચલ રહ્યા, અને સર્વ ઉપસર્ગોને સમભાવપણે સહન કરતા વિચરવા લાગ્યા. હવે વિહાર કરતા પ્રભુ તે દિવસે બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે કુમાર નામના ગામે પહોંચ્યા, અને ત્યાં રાત્રિએ કાઉસગ્ગ ધ્યાને રહ્યા.
હવે તે ઠેકાણે કોઈ ગોવાળીયો આખો દિવસ બળદીયા પાસે હલ વહન કરાવી સંધ્યાકાળે તે બળદોને
For Private and Personal Use Only