________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ
કલ્પસૂત્ર ભાષાંતર
ષષ્ઠ વ્યાખ્યાનમ્
U||
સુદ પૂર્ણિમાએ વિહાર કરી કોલ્લાક સન્નિવેશમાં પધાર્યા, ત્યાં પ્રભુને તે ચોથા માસક્ષપણનું પારણું બહુલ નામના બ્રાહ્મણે દૂધપાક વહોરાવી કરાવ્યું, તે વખતે દેવોએ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. હવે જ્યારે પ્રભુએ રાજગૃહથી વિહાર કર્યો ત્યારે ગોશાલો ભિક્ષા માટે બહાર ગયો હતો, ભિક્ષા લઈ તે પાછો પેલા શાલવીના મકાનમાં આવ્યો ત્યારે પ્રભુને જોયા નહિ. આખા નગરમાં શોધવા છતાં જયારે પ્રભુ મળ્યા નહિ ત્યારે તે ગોશાલો પોતાનાં ઉપકરણ બ્રાહ્મણોને આપી દઈ, દાઢી, મૂછ મુંડાવી, મસ્તક મુંડાવી ત્યાંથી ફરતો ફરતો કોલ્લાકગામ આવ્યો. ત્યાં પ્રભુને દેખી બોલ્યો કે - “હે પ્રભુ ! અત્યાર સુધી હું ગૃહસ્થ જેવો હોવાથી આપની દીક્ષાને યોગ્ય નહોતો, પણ હવે તો ઉપકરણોને છોડી દઈ નિઃસંગ થયો છું, માટે હવેથી મને આપની દીક્ષા પણ હો, હે સ્વામી! મને શિષ્ય તરીકે સ્વીકારો”. આ પ્રમાણે કહી ગોશાલો પ્રભુ સાથે રહ્યો.
પ્રભુ ત્યાંથી વિહાર કરી સુવર્ણખલ નામના ગામ તરફ ચાલ્યા, ગોશાલો પણ સાથે જ ચાલ્યો. માર્ગમાં F કેટલાક ગોવાલીયા માટીની મોટી હાંડીમાં ખીર રાંધતા હતા, તે જોઈ ગોશાલાએ પ્રભુને કહ્યું કે – “હે કમ સ્વામી ! અહીં થોડી વાર વિશ્રાંતિ લઈએ, મને તો કડકડતી ભૂખ લાગી છે, માટે આ ખીર ખાઈને આગળ ચાલીએ'. સિદ્ધાર્થ વ્યંતર બોલ્યો કે - “એ હાંડી ફૂટી જશે'. ગોશાલાએ તુરત ગોવાલીઓ પાસે જઈ તે હકીકત નિવેદન કરી, તે સાંભળી ગોવાલીયાઓએ ખીર રાંધતાં તે હાંડીનું ઘણા યત્નથી રક્ષણ કર્યું, છતાં દૂધમાં ચોખા નાખવા જોઈએ તે કરતાં ઘણા વધારે નાખેલા હોવાથી તે ફૂલ્યા, એટલે હાંડી ફૂટી ગઈ. તે
૨૯૪
For Private and Personal Use Only