________________
Shri Mahavir Jain Aradhana Kendra
કલ્પસૂત્ર ભાષાંતર
www.kobatirth.org
(ભપાચવું) કુલને વિષે આશ્રયરૂપ હોવાથી તથા પોતાની છત્રછાયામાં દરેક લોકોનું રક્ષણ કરનાર હોવાથી વૃક્ષ સમાન, (યુનતંતુસંતાળવિવાર) કુલના તંતુસમાન એટલે કુલના આધારરૂપ જે પુત્ર, પૌત્ર, પ્રપૌત્રાદિ સંતતિ, તે સંતતિની વિવિધ પ્રકારે વૃદ્ધિ કરનારો; વળી તે પુત્ર કેવો છે ? (સુવુમાનપાળિપાથૅ) જેના હાથ અને પગ સુકોમલ છે એવો, (સદ્દીળપહિપુખ્તપંચિવિયસરી) જેના શરીરની પાંચે ઇન્દ્રિયો સારા લક્ષણયુક્ત અને પરિપૂર્ણ છે એવો, (નવસ્તુળ-વંગળમુળોવવેથૅ) છત્ર ચામર વિગેરે લક્ષણોના ગુણ વડે સહિત, તથા મસ તલ વિગેરે વ્યંજનોના ગુણ વડે સહિત, (માળુ-મ્માળપમાળડિપુખ્તસુઝાયસર્વાંગસુંવાં) માન, ઉન્માન અને પ્રમાણ વડે સંપૂર્ણ તથા સુંદર છે સર્વ અંગવાળું શરીર જેનું એવો (સિોમા) ચન્દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિવાળો, (તા) મનોહર, (પિયરંસમાં) વલ્લભ છે દર્શન જેનું એવો, (સુસ્તું વાચં પત્તિસિ) અને સુંદર રૂપવાળો, આવા પ્રકારના પુત્રને જન્મ આપશે ।।૭૮
(સે વિ ય ાં વારણ) વળી તે પુત્ર (મુવવાનમાવે) બાલપણું છોડીને જ્યારે આઠ વરસનો થશે ત્યારે (વિજ્ઞાયરિયમિત્તે) તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. (ગુળમનુત્તે) પછી અનુક્રમે યૌવન અવસ્થાને પામશે ત્યારે (સૂ) દાન દેવામાં તથા અંગીકાર કરેલા કાર્યનો નિર્વાહ કરવામાં સમર્થ થશે, (વી) રણસંગ્રામમાં
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ
વ્યાખ્યાનમ્
૧૭૨