________________
કમ પ્રકૃતિને ઉદયજ હોવાથી આ ભાવ પણ અચેતન પ્રકૃતિ જન્ય હોવાથી જડે ભાવ છે ચેતન ભાવ નથી.
દર્શન અને ચારિત્રહ ક્ષય થવાથી પ્રગટ થયેલ ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિક્યારિત્ર રૂપ આત્માની નિર્મળતા, જ્ઞાનાવરણ અને દર્શનાવરણના સર્વથા ક્ષયથી પ્રગટ થયેલ અક્ષાયિક (કેવળ ) જ્ઞાન અને ક્ષાયિક (કેવળ) દર્શન, અંતરાયકર્મક્ષય થવાથી પ્રગટ થયેલ ક્ષાયિક ભાવનાં દાન, લાભ, ભેગ, ઉપગ અને ક્ષાયિક વીર્ય, એ ચાર ઘાતિ કર્મને સર્વથા ક્ષય થવાથી પ્રગટ થયેલ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય એ આત્માના ગુણે હોવાથી એ ચેતન ભાવ છે.
અને જીવત્વ-જીવપણું, ભવ્યપણું, અભવ્યપણું આ ત્રણ પારિણામિક ભાવ છે. આ ભાવે જીવના સ્વભાવ ભૂત છે એટલે ભવ્યમાં ભવ્યત્વ અને જીવત્વ, અભવ્યમાં અભવ્યત્વ અને જીવવું એ સદા સાથે પ્રગટ રહેતા હોવાથી એ ત્રણે ભાવ પણ ચેતન છે. બાકીના બધા ભાવે અચેતન જડ છે. નિમિત્તસંગથી સંગ સંબંધે આવે છે અને તેને જીવથી વિયોગ-જુદાપણું પણ થઈ શકે છે માટે તે અજીવ છે.
આ બધી હકીકત જણાવીને કહેવાનો આશય એ છે કે જીવ તત્ત્વથી અજીવ તત્વ સર્વથા ભિન્ન છે એ બરાબર જાણવાની જરૂર છે. આ પ્રવૃતિઓમાં વિવિધ પ્રકારના સુંદર