________________
સામે હિંમતથી બાથ ભીડતાં શીખો. દીર્ઘદૃષ્ટી અને દઢ નિશ્ચય એ એને સુયોગ કરવામાંજ જીવનનું રહસ્ય રહેલુ છે.
૩૬ પ્રત્યેક માણસ પોતાના કાળને કર્તા છે. તે જ સારે અને નઠારે બનાવી શકે છે. સત્યયુગ પણ આજ છે અને કળયુગ પણ આજ છે. આપણી જેવી ભાવના હોય છે તેવી ભાવના કાળની પણ થાય છે, માટે સર્વ મનુષ્યોએ સત્યયુગ બનાવવા પ્રયત્ન કરો. કાળ અમુલ્ય છે એટલુજ નહિ, પણ તેની અસર કોઈપણ રીતે નાબુદ કરી શકાતી નથી. •
૩૭ જેટલુ બેલવું ઉચીત હોય તે કરતાં વધારે બેલી નાખવા બદલ પોતાની જાતને ઠપકે આપવાનો પ્રસંગ લગભગ દરેક માણસને પ્રાપ્ત થતું હશે, પણ જરૂર કરતાં થોડું બોલ્યા બદલ પસ્તાવુ પડે
એ પ્રસંગ તો વિરલજ હોય છે. મૌ સાથે સાધક એ વાક્યાનુ- સાર મૌન કરવું તે સોના જેવું છે.
૩૮ રાજ્ય પ્રકરણને લગતા કામકાજમાં ધીમાસ કરતાં ઉતાવળની બીક વધારે રાખવાની છે. પુખ્ત વિચાર કર્યા વગર બાંધવામાં આવેલા કાયદા અત્યત હાનીકારક નિવડે છે. એવા કામમાં ઉતાવળ કરવી તે - શાણપણ નથી.
૩૯ જે માણસ વગર વિચાર્યું બોલે ચાલે છે તેને પાછળથી પસ્તાવુ પડે છે. જે શસ્યાતના કામકાજમાં થોડી ધીરજ રાખશે તે પસ્તાવામાંથી બચશે.
૪. કોઈ કામ દેડાદોડ કરી પૂરું કરી નાખવામાં શાણપણ નથી પણ તેમાં ગુંચવાડે ઉત્પન્ન થાય છે, તે કામ તેમજ રહેવા દઈ વચમાં એક રાત્રી પસાર થવા દેવામાં લાભ છે. રાત્રીની શાંત નિદ્રામાં